ગુજરાતીઓના ડી.એન.એ.માં જ ઉદ્યોગ સાહસિકતા અને વ્યાપાર-વણજ વણાયેલ છે: CM વિજય રૂપાણી

ગુજરાત દેશની ૫ ટકા વસતિ અને ૬ ટકા ભૂમિ ભાગ ધરાવે છે છતાં, દેશના જી.ડી.પી.માં ૭.૬ ટકા ફાળો આપે છે. નિકાસમાં ૨૨ ટકા, સ્ટોક કેપિટલાઇઝેશનમાં ૩૦ ટકા, ઉત્પાદનમાં ૧૯ ટકા તથા પૂંજી નિવેશમાં ૮ ટકા ફાળો ગુજરાત આપે છે. ગુ

ગુજરાતીઓના ડી.એન.એ.માં જ ઉદ્યોગ સાહસિકતા અને વ્યાપાર-વણજ વણાયેલ છે: CM વિજય રૂપાણી

અમદાવાદ: ફિક્કીની નેશનલ એકઝીકયુટીવ કમિટી બેઠકને અમદાવાદમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવેથી આવી રાષ્ટ્રીય કક્ષાની પરિષદો-નેશનલ કોન્ફરન્સ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે યોજવાનું પ્રેરક આહવાન કર્યુ હતું. કહ્યું હતું કે, આ સ્થળે વર્લ્ડ કલાસ ફેસેલીટીઝ વિકસાવવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમગ્ર પરિસર વિશ્વ પ્રવાસન કેન્દ્ર બને તે સાથે જ દેશની એકતા અખંડિતતાને વિશ્વ સમક્ષ ઊજાગર કરવાનું સક્ષમ માધ્યમ બને તેવી નેમ છે.

વિજય રૂપાણીએ ગુજરાતના વિકાસમાં ફિક્કીના યોગદાન અને વાયબ્રન્ટ સમીટની સફળતામાં ફિક્કીના સહયોગની પ્રસંશા કરી હતી. ગુજરાતમાં બીજીવાર યોજાઇ રહેલી આ નેશનલ એકઝીકયુટીવ કમિટી બેઠક આગામી વાયબ્રન્ટ-ર૦૧૯ પૂર્વે યોજાઇ રહી છે તે રાઇટ જોબ ફોર રાઇટ ટાઇમ છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત દેશના વિકાસમાં રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે તેની વિશદ ભૂમિકા આપતાં કહ્યું કે, ગુજરાતીઓના ડી.એન.એ.માં જ ઉદ્યોગ સાહસિકતા વણાયેલી છે. વ્યાપાર-વણજ ગુજરાતીઓના લોહીમાં છે. 
    
તેમણે કહ્યું કે, ગુજરાત દેશની ૫ ટકા વસતિ અને ૬ ટકા ભૂમિ ભાગ ધરાવે છે છતાં, દેશના જી.ડી.પી.માં ૭.૬ ટકા ફાળો આપે છે. નિકાસમાં ૨૨ ટકા, સ્ટોક કેપિટલાઇઝેશનમાં ૩૦ ટકા, ઉત્પાદનમાં ૧૯ ટકા તથા પૂંજી નિવેશમાં ૮ ટકા ફાળો ગુજરાત આપે છે. ગુજરાતમાં ઉદ્યોગને અનુકૂળ વાતાવરણ અને એકંદરે શાંતિના કારણે ઇઝ ઓફ ડુંઈગ બિઝનેસમાં ગુજરાત આગળ છે.

કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં ગુજરાત દેશમાં લીડર છે તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાત ગ્લોબલ લીડર છે. વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય હોવા સાથે ઉદ્યોગોને અનુકૂળ તૈયાર માનવબળ પૂરું પાડવા માટે સ્કીલ ઇન્ડિયા અંતર્ગત યુવાનોને સમયાનુકૂળ તાલીમ આપી સજ્જ બનાવ્યા છે.
Rajiv-Vastupal
આગામી ૧૭ થી ૧૯ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ સમિટ ફિક્કીની સક્રિય સહભાગીતાથી સફળ થશે જ તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથેની પ્રશ્નોત્તરીમાં જણાવ્યું કે, ગુજરાતે ઉદ્યોગ અનુકૂળ ર૩ જેટલી નીતિઓ બનાવી ઉદ્યોગજગતને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગો માટે રૂા. ૧૦૦૦ કરોડના કેશ ઇન્સેન્ટિવ આપ્યાં છે. કચ્છ, સાણંદ, વિઠ્ઠલાપુરને ઉદ્યોગ ધંધાથી ધમધમતા કર્યા છે તો ધોલેરામાં સિંગાપોરથી મોટો ઔદ્યોગિક ઝોન ઉભો કરવામાં આવી રહ્યો છે તેની વિગતો તેમણે આપી હતી.

' રણોત્સવ ' એક યાદગાર પ્રવાસ : એક ક્લિક પર જાણો તમામ જરૂરી વાતો
    
વાઇબ્રન્ટની સફળ શૃંખલાને પગલે છેલ્લા ૧૫ વર્ષથી રોજગારી આપવામાં દેશમાં ગુજરાત નંબર -૧ રાજ્ય બની રહ્યું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં રૂર્બન યોજના દ્વારા બહેતર સુવિધાઓ પૂરી પાડી ગ્રામીણ સ્થળાંતરને અટકાવ્યું છે તો ગ્રામીણ ક્ષેત્રે સહકારનું માળખું મજબૂત બનાવી ગામો ઇકોનોમિકલ સસ્ટેનેબલ બને તે દિશાના પગલાં લીધા છે તેની ભૂમિકા આપી તેમણે આપી હતી. ફિક્કીના રસેશભાઇ શાહે રાજ્ય સરકારની ઉદ્યોગ સાનુકૂળ નીતિઓની સરાહના કરી હતી.

તેમણે વાઇબ્રન્ટ સમિટમાં ફિક્કી દ્વારા સંપૂર્ણ સહયોગ સાથે ઉત્સાહથી ભાગ લેવાની ખાતરી આ તકે આપી હતી. ફિક્કીની નેશનલ એક્ઝીકયુટીવ કાઉન્સીલની આ બેઠકમાં વાઇસ ચેરમેન સંગીતા રેડ્ડી, ઝાયડસ કેડિલાના પંકજભાઇ પટેલ, રાજીવ વસ્તુપાલ, સંદીપભાઇ સોમાણી તથા દેશભરમાંથી પધારેલા ફિક્કીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news