આસારામ રેપ કેસનો નિર્ણય આજે, થોડા સમયમાં શરૂ થશે સુનાવણી
જોધપુર શહેર ભારે સુરક્ષા વ્યવસ્થાને પગલે કિલ્લામાં ફેરવાઈ ગયું છે
Trending Photos
જોધપુર / નવી દિલ્હી : જોધપુરની કોર્ટ આજે બળાત્કારના આરોપના મામલે આસારામ વિરૂદ્ધ ચાલી રહેલા કેસની સુનાવણી હાથ ધરશે. જોધપુર સેન્ટ્રલ કોર્ટની અંદર બનેલી વિશેષ કોર્ટમાં થોડીવારમાં જ સુનાવણી શરૂ થશે. આ સુનાવણી માટે જોધપુર કોર્ટના જજ મધુસુદન શર્મા પહોંચી ગયા છે. જો આ મામલામાં આસારામ દોષિત સાબિત થાય તો તેને ઓછામાં ઓછી 10 વર્ષની અને વધારેમાં વધારે ઉંમરકેદની સજા થઈ શકે છે. આ સુનાવણી પછી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા સરકારને સુરક્ષા વધારે સઘન બનાવવા માટે કહી દેવામાં આ્વ્યું છે કારણ કે આ ત્રણ રાજ્યમાં 77 વર્ષના આસારામના સૌથી વધારે અનુયાયીઓ છે.
ચુકાદા પહેલાં આસારામના સમર્થકો અને સાધકો હજારોની સંખ્યા એકઠા થવાથી હાલમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ દરમિયાન કોઇપણ પ્રકારની વિવાદિત ઘટના ન બને એ માટે પોલીસ અત્યારથી સતર્ક થઇ ગઇ છે. હવે કલમ 144 લાગૂ થવાથી પાંચથી વધુ લોકોની ભીડ એકઠી થઇ શકશે નહી. શહેરમાં બધી હોટલો, ધર્મશાળા, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિત ભીડભાડવાળા વિસ્તારમાં સાદા ડ્રેસમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે રામ-રહીમના ચુકાદા પછી જે રીતે તેના સમર્થકોએ દિલ્હી સહિત અનેક જગ્યાએ ધમાલ મચાવી હતી એવી જ સ્થિતિ આવતીકાલે ઉભી થઈ શકે છે. આશંકા છે કે જો આસારામ દોષી સાબિત થઈ જશે તો એના સમર્થક ધમાલ મચાવી શકે છે. જોકે આસારામ આ મામલામાં કોર્ટમાં દોષમુક્ત સાબિત થાય તો પણ જેલની બહાર નીકળી નહીં શકે કારણ કે તેના વિરૂદ્ધ ગુજરાતમાં પણ એક બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે.
Security tightened at Jodhpur jail ahead of Asaram Bapu's case verdict. #Rajasthan pic.twitter.com/k7T7uFgK71
— ANI (@ANI) April 25, 2018
દેશભરમાં આસારામના 427થી વધુ આશ્રમ
દેશભરમાં આસારામના 427થી વધુ આશ્રમ છે. આસારામ પાસે 70 લાખથી વધુ સાધકો અને સમર્થકો છે. એવામાં પોલીસને શંકા છે કે ચૂકાદાના દિવસે જોધપુરમાં પણ હજારોની સંખ્યામાં આસારામ સમર્થકો એકઠા થઇ શકે છે. આ મામલે જે પ્રકારે વિવાદ થયો હતો, તેને ધ્યાનમાં રાખતાં પોલીસ કમિશનરે હાઇકોર્ટમાં કેસનો ચૂકાદો જેલ સ્થિત અસ્થાયી કોર્ટમાં સંભળાવવાની અપીલ કરી હતી, જેની હાઇકોર્ટે પરવાનગી આપી દીધી છે. આનાથી પોલીસને થોડી રાહત મળી છે પણ હજું પણ પોલીસ સમક્ષ આ પડકાર છે કે શહેરમાં હજારોની સંખ્યામાં સાધકો અને સમર્થકો જોડાઇ શકે છે.
શહેરમાં કલમ 144 લાગૂ
પોલીસે શહેરમાં 21 થી 30 એપ્રિલ સુધી કલમ 144 લાગૂ કરી દીધી છે. હવે ત્યારબાદ શહેરના મુખ્ય સ્થળો, આસારામ આશ્રમ પાલ રોડ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડની સાથે જ ધર્મશાળા, હોટલોમાં જવર-જવર કરતા લોકો પર આકરી નજર રાખવામાં આવી રહી છે. જેથી ચૂકાદાના દિવસે અથવા તે પહેલાં એકઠી થનારી ભીડને કાબૂમાં કરી શકાય. ગુપ્તચર એજન્સીઓ પણ આ મામલે સર્તક છે. પોલીસને એ પણ આશંકા છે કે પંચકુલા જેવી ઘટના ન થાય, તેના માટે આકરી વ્યવસ્થા કરવામાં આવી છે.
આસારામ પર જાતીય સતામણીનો આરોપ
આસારામના ગુરૂકુળમાં અભ્યાસ કરતી એક કિશોર વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે કે 15 ઓગસ્ટ, 2013ના રોજ આસારામે જોધપુર નજીક મણાઇ ગાવમાં સ્થિત એક ફાર્મ હાઉસમાં તેની જાતીય સતામણી કરી. 20 ઓગસ્ટ, 2013ના રોજ દિલ્હીના કમલા નગર પોલીસ મથકમાં આસારામ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જોધપુર કેસના કારણે દિલ્હી પોલીસે ઝીરો નંબરની પ્રાથમિકી દાખલ કરી તેને જોધપુર મોકલી.
2013થી જોધપુર જેલમાં બંધ છે આસારામ
જોધપુર પોલીસે આસારામ વિરૂદ્દ કિશોરીનું જાતિય શોષણ કરવાનો કેસ દાખલ કર્યો. જોધપુર પોલીસ 31 ઓગસ્ટ, 2013ના રોજ ઇન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી. આસારામ ત્યારથી સતત જોધપુર જેલમાં જ બંધ છે. આ દરમિયાન તેમની દ્વાર હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સહિત જિલ્લા ન્યાયાલયમાં 11 વખત જામીન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. તેમની તરફથી રામ જેઠમલાણી, સુબ્રમણ્યમ સ્વામી, સુલમાન ખુરશીદ સહિત દેશના ઘણા જાણીતા વકીલ પૈરવી કરી ચૂક્યા છે, પરંતુ કોર્ટમાંથી આસારામને જામીન મળ્યા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે