ભારે તણાવ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જશે

જમ્મુ અને કાશ્મીરમાં હાલ સ્થિતિ તણાવવાળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર ખીણની મુલાકાત લેવાના છે.

ભારે તણાવ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જશે

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં હાલ સ્થિતિ તણાવવાળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર ખીણની મુલાકાત લેવાના છે. સૂત્રોના હવાલે મળેલી જાણકારી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદીય સત્ર બાદ ત્રણ દિવસ માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવાના છે. 

જુઓ LIVE TV

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં છે શાહ
અમિત શાહ વિધાનસભા ચૂંટણીની  તૈયારીઓને લઈને કાશ્મીરમાં પાર્ટીના એક કાર્યક્રમમાં સામેલ થશે. અમિત શાહ કાશ્મીર ઘાટીના અલગ અલગ જિલ્લાઓના કાર્યકર્તાઓની બેઠક કરશે. સદસ્યતા અભિયાન માટે કાર્યકર્તાઓને વધુમાં વધુ સભ્યો બનાવવા માટે પ્રેરિત પણ કરશે. સંસદ સત્ર 7 ઓગસ્ટ સુધી આગળ વધારાયું છે. સંસદીય મામલાઓની કેબિનેટ સમિતિએ 7 ઓગસ્ટ સુધી સંસદ સત્ર વધારવાનું નક્કી કર્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news