Corona Update: કોરોનાના નવા કેસમાં 4.7 ટકાનો ઘટાડો નોંધાયો, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

એક દિવસમાં કોરોનાએ 219 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4,42,874 પર પહોંચ્યો છે.

Corona Update: કોરોનાના નવા કેસમાં 4.7 ટકાનો ઘટાડો નોંધાયો, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના નવા 27 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગઈ કાલ કરતા આજે નોંધાયા કેસમાં 4.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 28,591 નવા કેસ નોંધાયા હતા. તથા 338 લોકોના કોરોનાથી મોત થયા હતા. 

નવા 27 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27,254 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 3,32,64,175 પર પહોંચી ગઈ છે. હાલ 3,74,269 દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે 37,687 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,24,47,032 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. 

219 લોકોએ જીવ ગુમાવ્યા
સરકારી આંકડા મુજબ એક દિવસમાં કોરોનાએ 219 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4,42,874 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 74,38,37,643 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 53,38,945 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

Total cases: 3,32,64,175
Active cases: 3,74,269
Total recoveries: 3,24,47,032
Death toll: 4,42,874

Total Vaccination : 74,38,37,643 (53,38,945 in last 24 hours) pic.twitter.com/XYgrQdIr0t

— ANI (@ANI) September 13, 2021

રિકવરી રેટ97.54 ટકા
હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.54 થયો છે. વીકલી પોઝિટિવિટી રેટ 2.11 ટકા છે જે છેલ્લા 80 દિવસથી 3 ટકા કરતા નીચે છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 2.26 ટકા છે જે છેલ્લા 14 દિવસથી 3 ટકાથી નીચે છે. 

12 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાના કુલ 54,30,14,076 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 12,08,247 ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news