Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, 24 કલાકમાં 415 દર્દીઓના મોત

કોરોના (Corona virus) ના નવા કેસમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 415 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, 24 કલાકમાં 415 દર્દીઓના મોત

નવી દિલ્હી: કોરોના (Corona virus) ના નવા કેસમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 415 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

નવા 29 હજાર કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 29,689 કેસ નોંધાયા છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા 39,361 કેસ નોઁધાયા હતાં. જે જોતા કોરોનાના કેસમાં માતબાર ઘટાડો થયો છે. હાલ દેશમાં 3,98,100 દર્દીઓ સારવાર હેઠળ છે. 

એક દિવસમાં 415 દર્દીઓના મોત
કોરોનાએ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 415 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,21,382 પર પહોચ્યો છે. એક દિવસમાં 42,363 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં કોરોનાથી કુલ રિકવરીનો આંકડો 3,06,21,469 થયો છે. 

Active cases: 3,98,100
Total recoveries: 3,06,21,469
Death toll: 4,21,382

Total vaccination: 44,19,12,395 pic.twitter.com/mtsHnb4tjb

— ANI (@ANI) July 27, 2021

રસીના 44 કરોડથી વધુ ડોઝ અપાયા
દેશમાં કોરોનાને માત આપવા માટે પૂર જોશમાં રસીકરણ અભિયાન પણ ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 44,19,12,395 ડોઝ અપાયા છે. જેમાંથી 66 લાખ ડોઝ ગઈ કાલે આપવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news