India Ideas Summit: ભારત ખુલ્લા મન વાળો છે, ખુલ્લા બજારવાળો દેશ છે: PM મોદી

યૂએસ-ઇંડિયા બિઝનેસ કાઉન્સિલના 45 વર્ષ પુરા થતાં આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઇન્ડીયા આઇડિયાઝ સમિટ (India Ideas Summit)ને સંબોધિત કરી રહ્યા છે.

India Ideas Summit: ભારત ખુલ્લા મન વાળો છે, ખુલ્લા બજારવાળો દેશ છે: PM મોદી

નવી દિલ્હી: યૂએસ-ઇંડિયા બિઝનેસ કાઉન્સિલના 45 વર્ષ પુરા થતાં આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઇન્ડીયા આઇડિયાઝ સમિટ (India Ideas Summit)ને સંબોધિત કરી રહ્યા છે. ભારત અને અમેરિકાના લોકોને સંબોધિત કરતાં પીએમએ કહ્યું કે આપણે બધાને ખબર છે કે દુનિયાને સારું ભવિષ્ય આપવાની જરૂર છે. USIBC અમેરિકા અને ભારતને નજીક લાવ્યા છે. 

અમેરિકા-ભારત બિઝનેસ સમિટ (USIBC) આ સમિટને આયોજિત કરવામાં આવી છે. સંમેલનની થીમ સારા ભવિષ્યનું નિર્માણ છે. 

- પીએમ મોદીએ કહ્યું કે USIBC આ વર્ષે પોતાને 45મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમે બધા આ વાત પર સહમત છીએ કે દુનિયાને સારા ભવિષ્યની જરૂર છે. આપણે બધાએ એકસાથે આવીને સારું ભવિષ્ય આપવું પડશે. હું માનું છું કે ભવિષ્યને લઇને એપ્રોચ માનવ કેન્દ્રીત થવું જોઇએ. 

- પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતમાં રોકાણનો અવસર ખૂબ મોટો છે. ભારત તમને તમારા ખેડૂતોની મહેનતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરે છે. 

- વડાપ્રધાન મંત્રીએ કહ્યું કે મેન્યુફેક્ચરિંગની ઘરેલૂ ક્ષમતાને વધારવી પડશે. નાણાકીય સંસ્થાઓને મજબૂત કરવી પડશે. આજે દુનિયા ભારત તરફ જોઇ રહી છે. આવું એટલા માટે છે કારણ કે ભારત ખુલ્લાપણું, અવસરો અને ટેક્નોલોજીનું સારું મિશ્રણ છે. 

- પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા આ વાત પર સહમત છીએ કે દુનિયાને સારા ભવિષ્યની જરૂર છે. આપણે બધાને એકસાથે આવીને સારું ભવિષ્ય આપવું પડશે. હું સંપૂર્ણપણે માનું છું કે ભવિષ્યને લઇને એપ્રોચ માનવ કેંદ્રીત થવું જોઇએ. 

ભારતને અવસરોનો દેશ ગણાવતાં પીએમ મોદીએ કહ્યું કે ભારત તમને રક્ષા અને અંતરિક્ષમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરે છે. અમે રક્ષા ક્ષેત્રમાં રોકાણ માટે FDI કેપને 74% સુધી વધી રહ્યા છે. તેમણે કહ્યું કે વિમાનાન, વીમા, રક્ષા ક્ષેત્રમાં રોકાણને ખૂબ અવસર, અમે રક્ષા, વિમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશ રોકાણની સીમાને વધારી છે. ભારત રોકાણકારોને બિઝનેસ માટે આમંત્રિત કરે છે. દેશમાં ઉર્જા, કૃષિ, ટેક્નોલોજી ક્ષેત્ર, વિજળી, માળખાકીય સુવિધા સહિત વિભિન ક્ષેત્રોમાં રોકાણની ખૂબ તક છે. 

વડાપ્રધાને કહ્યું કે મેન્યુફેક્ચરિંગની ઘરેલૂ ક્ષમતાને વધારવી પડશે. નાણાકીય સંસ્થાઓને મજબૂત કરવી પડશે. આજે દુનિયા ભારત તરફથી જોવા મળી રહી છે. એવું એટલા માટે છે કે કારણ કે ખુલ્લાપણું, અવસરો અને ટેક્નોલોજીનું મિશ્રણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news