નાથદ્વારામાં 21 તોપ ફોડી કરાયા વ્હાલાના વધામણા, જુઓ વીડિયો

સમગ્ર દેશમાં કૃષ્ણ  જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 

નાથદ્વારામાં 21 તોપ ફોડી કરાયા વ્હાલાના વધામણા, જુઓ વીડિયો

નાથદ્વારાઃ રાજસ્થાનના નાથદ્વારામાં કૃષ્ણોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 21 તોપની સલામી આપી ભગવાન શ્રીકૃષ્ણના જ્ન્મોત્સવી ઉજવણી કરવામાં આવી હતી. વ્હાલાના વધામણા કરવા માટે જવાનો દ્વારા 21 તોપ ફોડવામાં આવ્યા હતાં. દેશભરમાં વિવિધ સ્થળ પર કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજસ્થાનના નાથદ્વારા વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, દર વર્ષે જનમાષ્ટમીના પાવનપર્વ નિમિતે નાથદ્વારામાં 21 તોપની સલામી આપવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news