PM મોદી અને ઈમરાન ખાન વચ્ચે મુલાકાત થવાની છે?, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

આવતા અઠવાડિયે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે મુલાકાતની કોઈ યોજના નથી. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે, "અમારી જાણકારી મુજબ પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત અંગે કોઈ યોજના નથી."
PM મોદી અને ઈમરાન ખાન વચ્ચે મુલાકાત થવાની છે?, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

નવી દિલ્હી: આવતા અઠવાડિયે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે મુલાકાતની કોઈ યોજના નથી. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે, "અમારી જાણકારી મુજબ પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત અંગે કોઈ યોજના નથી."

હકીકતમાં પાકિસ્તાનના વિદેશ સચિવના હાલના ભારત પ્રવાસ દરમિયાન એવી અટકળો વહેતી થઈ કે બંને નેતાઓ વચ્ચે SCO સંમેલન વખતે મુલાકાત થઈ શકે છે. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, "આ તેમનો પર્સનલ પ્રવાસ છે અને તેમની સાથે કોઈ અધિકૃત બેઠક નિર્ધારીત નથી."

જામા મસ્જિદમાં ઈદની નમાજ
આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહેમૂદ પોતાના 3 દિવસના અંગત પ્રવાસ અતર્ગત મંગળવારે રાતે ભારત પહોંચ્યાં અને બુધવારે તેમણે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં ઈદની નમાજ અદા કરી. રાજનયિક સૂત્રોએ આ જાણકારી આપી. એપ્રિલની મધ્યમાં ઈમરાન ખાનની સરકારમાં પાકિસ્તાનના વિદેશ સચિવ બનતા પહેલા મહેમૂદ ભારતમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે કાર્યરત હતાં. હાલ જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે પોતાના અંગત પ્રવાસ દરમિયાન તેઓ ભારતના કોઈ અધિકારી કે નેતાને મળશે કે નહીં. 

સૂત્રોએ જણાવ્યું કે મહેમૂદના બાળકો અહીં ભણતા હતાં અને તેઓ પોતાના પરિવારને લઈ જવા માટે આવ્યાં છે. મહેમૂદનો આ પ્રવાસ આમ તો વ્યક્તિગત પ્રવાસ છે પરંતુ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં થનારી SCOની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની હાજરીને લઈને આ પ્રકારની અટકળો થઈ રહી છે. પીએમ મોદી અને ઈમરાન ખાન બંને 13-14 જૂનના વાર્ષિક SCO શિખર સંમેલનમાં ભાગ લેવાના છે. 

જુઓ LIVE TV

પુલવામા હુમલા અને ત્યારબાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઈક અને તેના બીજા દિવસે પાકિસ્તાનની જવાબી કાર્યવાહી પછી બંને દેશો વચ્ચેતના સંબંધો વણસી ગયા હતાં. આ તણાવ ઓછો કરવાના ભાગ રૂપે ઈમરાન ખાને 26મી મેના રોજ પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી અને ક્ષેત્રમાં શાંતિ અને સંપન્નતા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

14 એપ્રિલના રોજ પાકિસ્તાન પાછા ફરેલા મહેમૂદે કહ્યું હતું કે એક બીજાની ચિંતાઓ સમજવા અને ક્ષેત્રમાં શાંતિ તથા સમૃદ્ધિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત-પાકિસતાન વચ્ચે સતત વાતચીત એક માત્ર વિકલ્પ છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનને આશા છે કે ભારતમાં લોકસભા ચૂંટણી 2019 સમાપ્ત થયા બાદ બંને દેશો વચ્ચે વાતચીત ફરીથી શરૂ થશે. 

(ઈનપુટ: એજન્સી ભાષામાંથી પણ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news