TamilNadu Election: શશિકલાના ભત્રીજાની પાર્ટી સાથે ઓવૈસીનું ગઠબંધન, આ સીટો પર ચૂંટણી લડશે AIMIM

અસદુદ્દીન ઓવૈસીએ શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરનની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે. ગઠબંધનની સમજુતિ હેઠળ ઓવૈસીની પાર્ટી ત્રણ સીટ વાનીયંબાદી, કૃષ્ણગિરિ અને શંકરપુરમ પર ચૂંટણી લડશે. 
 

TamilNadu Election: શશિકલાના ભત્રીજાની પાર્ટી સાથે ઓવૈસીનું ગઠબંધન, આ સીટો પર ચૂંટણી લડશે AIMIM

ચેન્નઈઃ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં (Tamil Nadu Assembly Election 2021) અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પોતાનું ભાગ્ય અજમાવવા જઈ રહી છે. AIMIM એ શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરનની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે. ગઠબંધનની સમજુતિ હેઠળ ઓવૈસીની પાર્ટી ત્રણ સીટ વાનીયંબાદી, કૃષ્ણગિરિ અને શંકરપુરમ પર ચૂંટણી લડશે. 

AIMIM એ પાછલી ચૂંટણીઓમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટો પર જીત મેળવી હતી. ત્યારબાદ એઆીએમઆઈએમે ગુજરાત અને હૈદરાબાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સફળતા હાસિલ કરી હતી. AIMIM પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભા ચૂંટણી લડશે. 

ટીટીવી દિનાકરને થોડા દિવસ પહેલા કહ્યુ હતુ કે શશિકલાએ રાજનીતિને ભલે અલવિદા કહ્યુ હોય પરંતુ તેની પાર્ટી અમ્મા મક્કલ મુનેત્ર કજગમ (એએમએમકે) ચૂંટણી લડશે. તમિલનાડુમાં 234 વિધાનસભા સીટો પર 6 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે. 

શશિકલાને AIDMK માંથી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીટીવી દિનાકરને એએમએમકે નામથી પાર્ટી બનાવી હતી. મહત્વનું છે કે શશિકલાએ બધાને ચોંકાવતા ત્રણ માર્ચે જાહેરાત કરી હતી કે તે રાજનીતિથી દૂર રહેશે. તેમણે કહ્યું હતું કે, એઆઈડીએમકે એક રહે અને ડીએમકેને સત્તાથી દૂર રાખે. 

ડીએમકે સત્તામાં રહેલી એઆઈએડીએમકે-ભાજપ ગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે. ડીએમકેએ ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news