Corona: ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી, તહેવારો પર રાજ્યોને આપી સૂચનાઓ

આવતા અઠવાડિયાથી તહેવારો (Festival) પણ શરૂ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Ministry of Home Affairs) તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખીને જાગૃત રહેવા જણાવ્યું છે.

Corona: ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી, તહેવારો પર રાજ્યોને આપી સૂચનાઓ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિતોના ઝડપથી વધતા ગ્રાફે ચિંતા વધારી છે. તે જ સમયે, આવતા અઠવાડિયાથી તહેવારો (Festival) પણ શરૂ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Ministry of Home Affairs) તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખીને જાગૃત રહેવા જણાવ્યું છે.

તહેવારો પર કડક કાર્યવાહી કરવાનો આદેશ
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ (Ajay Bhalla) પત્રમાં કહ્યું છે કે, 'બધા રાજ્યોએ આગામી તહેવારો (Festival) હોળી, શબ-એ-બારાત, વૈશાખી ઉત્સવ, ઈદ-ઉલ-ફિત્રને ધ્યાનમાં રાખીને ભીડ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. રાજ્યોએ ખાસ કાળજી લેવી જોઈએ કે લોકોએ કોરોના માર્ગદર્શિકાઓને (Corona Guideline) યોગ્ય રીતે અનુસરવી જોઈએ. તે જ સમયે, લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક અને સામાજિક અંતર વગેરેના નિયમો લાગુ કરો.

કોરોનાની ઝડપથી તપાસના નિર્દેશ
આ પહેલા મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં રાજ્યોને કોરોનાની તપાસ ઝડપથી ચલાવવા કહેવામાં આવ્યું છે. માર્ગદર્શિકા મુજબ સંક્રમિતોને અલગ કરી તુરંત સારવાર શરૂ કરવા માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ ઉપરાંત, કોરોનાના વિસ્તારોમાં વધુ કેસો આવી રહ્યા છે તેવા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે.

કેસ વધવા પર લોકડાઉનના આદેશ
ત્યારે જિલ્લાધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, જાહેર સ્થળો, કચેરીઓ, બજારો, ગીચ વિસ્તારોમાં કોરોના નિયમોનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, જો કડકતા કરવી હોય તો, દંડ પણ લાદવામાં આવી શકે છે. આ સાથે શહેર, વોર્ડ અને પંચાયત જેવા સ્થાનિક કક્ષાએ જો કોરોના કેસ વધુ આવે તો લોકડાઉન કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news