પૂજાપા બજારને પણ કોરોનો નડ્યો, વેપારીઓએ કહ્યું-આટલા વર્ષોમાં આવી મંદી ક્યારેય નથી જોઈ

નવરાત્રિની ખરીદી ન થવાને કારણે મીઠાઈ, ચણિયાચોળીના માર્કેટ ઠંડા છે. તેમાં પૂજાપા બજારનો પણ સમાવેશ થાય છે

આશ્કા જાની/અમદાવાદ :નવરાત્રિ (navratri) નો પર્વ એટલે માતાજીની આરાધનાનો પર્વ. આ વર્ષે કોરોનાના કારણે નવરાત્રિની ઉજવણી ઝાંખી થઈ છે. લોકોને નવરાત્રિ કરવા નથી મળી. તેની અસર અનેક બજારો પર જોવા મળી છે. આપણે જોયું કે, નવરાત્રિની ખરીદી ન થવાને કારણે મીઠાઈ, ચણિયાચોળીના માર્કેટ ઠંડા છે. તેમાં પૂજાપા બજારનો પણ સમાવેશ થાય છે. પૂજાપાના વેપારીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

1/3
image

પૂજાના વેપારીઓ પણ માર્કેટમાં નવરાધૂપ બની ગયા છે. કોરોનાને કારણે મંદિરમાં ભીડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આવામાં લોકો પણ મંદિરે જવાનું ટાળી રહ્યાં છે. ખાસ કરીને વૃદ્ધો મંદિરમાં જતા અટવાયા છે. 

2/3
image

ઘણા વેપારીઓનું કહેવું છે કે, વેપાર વધ્યો છે. લોકો કોરોનાના કારણે માતા શરણે ગયાં છે અને ઘરે માતાજીની સ્થાપના કરનારા લોકોની સંખ્યામાં ચોક્કસ વધારો થયો છે. જ્યારે ઘણાં વેપારીઓનું કહેવું છે કે, આટલા વર્ષમાં આવી મંદી ક્યારે નથી જોઈ. 70 જેટલી મંદી છે જો કે બજાર ખાલી જોવા મળી રહ્યા છે.  

3/3
image

આમ, પૂજાના સામાનનો વ્યવસાય કરનારા વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈને બેસ્યા છે. માત્ર છૂટીછવાઈ ખરીદી થઈ રહી છે. લોકો ઘરની ખરીદી કરવા આવી રહ્યાં છે.