શું ગુજરાતમાં મેઘો લાંબો વિરામ લેશે? આ તારીખ સુધી કોઈ જ આગાહી નથી! જાણો શું કહે છે અંબાલાલ?

Gujarat Weather Forecast: ગુજરાતમાં દે ધનાધન વરસાદ આવી રહ્યો છે. પરંતુ આગામી બે દિવસ વરસાદનું જોર ઘટશે. પરંતુ અંબાલાલની આગાહી છે કે 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે.

1/10
image

રાજ્યમાં ભલે અત્યારે વરસાદ ધીમો પડી ગયો હોય પરંતુ હજુ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી 17 ઓગસ્ટથી ભારે વરસાદ પડી શકે છે. વરસાદ અંગે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. એટલે કે તહેવારોના સમયમાં રાજ્યમાં મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

2/10
image

સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી કરાઈ છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ અપાયું છે. 

3/10
image

આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપ્યું છે.અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સમગ્ર ગુજરાતમાં 1 જૂન સુધીમાં 489 mm સરેરાશ વરસાદ સાથે 529 mm વરસાદ નોંધાયો છે. ગત વર્ષ કરતાં 8 ટકા વધુ વરસાદ નોંધાયો છે. પરંતુ સમાચાર મળી રહ્યા છે કે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. ગુજરાતમાં સાયકલોનિક સર્યુલેશનના કારણે વરસાદ પડશે.

4/10
image

સચોટ આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાં 17થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભુક્કા બોલાવશે. આ દરમિયાન રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. એટલે કો ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. 

5/10
image

અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.  

6/10
image

ગુજરાતમાં દે ધનાધન વરસાદ આવી રહ્યો છે. આગામી 6 દિવસ સુધી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 6 દિવસ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આ દિવસોમાં મધ્યમ વરસાદ રહેશે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ છે. બિકાનેર પાસે મોન્સૂન ટ્રફના કારણે વરસાદ પડશે. 

7/10
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.   

8/10
image

અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમા ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.  

9/10
image

તેમણે વધુમાં કહ્યું છે કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.

10/10
image

અંબાલાલની આગાહી પ્રમાણે 16થી 24 ઓગસ્ટે સારા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવી શકે છે. અંબાલાલે કહ્યું કે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પણ પાણી આવશે. હવામાન નિષ્ણાંતે કહ્યું કે 17 ઓગસ્ટના માખીઓનું જોર વધશે. તેમણે કહ્યું કે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીઓનું જોર વધી શકે છે. તો 30 ઓગસ્ટે મચ્છરોનું જોર વધશે. એટલે કે લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.