કારગિલ યુદ્ધ News

કારગિલ વિજય દિવસ- એવા 'પરમવીર'ની કહાની, જેણે પાકિસ્તાને ધૂળ ચટાડી
આ કહાની છે 19 વર્ષના એક એવા જાંબાજ સિપાહીની, જેના લગ્નને માંડ થાંડા જ મહિના થયા હતા, એક મુશ્કેલ લડાઇમાં તેમની સાથે ઘણા સાથીઓ મોતને ભેટ્યા હતા, દુશ્મ મશીનગન, ગ્રિનેડ અને રોકેટ વડે હુમલો કરી રહ્યા હતા અને તેમની પાસે હતી રાઇફલ અને દિલમાં અદમ્ય સાહસ. ફિલ્મી સ્ટાઇલમાં એક પછી એક 15 ગોળીઓ વાગી, એક હાથ તૂટી ગયો, પરંતુ તૂટેલા હાથને પોતાના જ બેલ્ટ વડે બાંધીને તેમણે ચાર પાકિસ્તાનીઓને ઠાર માર્યા. તેમના સ્વચાલિત હથિયારોને નષ્ટ કરી દીધા. એક બંકરને નષ્ટ કરી દીધું અને તે આ સ્થિતિમાં જ નિકળી પડ્યા બીજા બંકર નષ્ટ કરવા માટે. તેમણે જોઇને ભારતીય સૌનિકોનો આત્મવિશ્વાસ વધી ગયો અને આ સાથે જ કારગિલ વિજયની વિજયગાથા લખી દીધી. 
Jul 26,2018, 10:23 AM IST

Trending news