કોરોનાથી મોત News

રાજકોટમાં કોરોના મૃત્યુ આઉટ ઓફ કન્ટ્રોલ : 5 દિવસમાં 66 મોત, 11 દિવસમાં 102 મોત
રાજકોટમાં કોરોનાની સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ બની રહી છે. હોળી બાદ મૃત્યુઆંક ડબલ આંકડામાં થઈ ગયો છે. જેનાથી હવે ચેતી જવાની જરૂર આવી પડી છે. રાજકોટમાં મોતના આંકડા પર નજર કરીએ તો, એક જ દિવસમાં 19 પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. તો રાજકોટમાં 11 દિવસમાં કોરોનાથી 102 મોતનો આંકડો સામે આવ્યો છે. માત્ર 5 દિવસમાં 66 દર્દીઓનો ભોગ લેવાયો છે. આ વચ્ચે રાજકોટમાં નવી તસવીરો સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ સાથે વાત કરવા તેમની સગાસંબંધીઓની પડાપડી થઈ રહી છે. પોતાના દર્દીને યોગ્ય સારવાર મળી રહી છે કે નહિ, અને તેમની તબિયત કેવી છે તે જાણવા માટે સંબંધીઓ લાઈન લગાવીને ઉભા છે. જેઓ વીડિયો કોલ દ્વારા દર્દીઓ સાથે વાત કરાવવામાં આવી રહી છે. 
Apr 6,2021, 11:24 AM IST

Trending news