દૂધસાગર ડેરી News

જો ઉત્તર ગુજરાતમાં પશુપાલકો દુધ ન ભરાવે, તો સવારે દિલ્હીવાળાને ચા ન મળે... પાટીલની પ
છેલ્લા 1 વર્ષમાં દૂધસાગર ડેરીએ કરેલી પ્રગતિ અને પશુપાલકોને આપેલા વળતર બદલ ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો સન્માન સમારોહ વિસનગરમાં યોજાયો હતો. જેમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના સંબોધન દરમિયાન એક ટકોર કરી હતી. તેમણે પશુપાલકોને કહ્યું કે, મારો પોતાનો તબેલો હતો, જેમાં ગાયો-ભેંસોનું પાલન કરતો હતો. એટલે મને ખબર છે કે પશુપાલકો પોતાના પશુઓનું કેટલું ધ્યાન રાખે છે. પશુપાલકોની સ્થિતિ સુધારવા માટે ડેરીના ચેરમેન પણ પશુપાલક હોય અને તેમની પાસે 100-200 ગાયો હોય તેવો નિયમ બનાવવો પડશે તેવી હળવી ટકોર તેમણે કરી હતી. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના ઘરે 5 જ ગાયો છે, એટલે ભાજપ અધ્યક્ષે તેમને અનુલક્ષીને હળવા અંદાજમાં આ ટકોર કરી હતી. 
Apr 25,2022, 11:33 AM IST

Trending news