પશ્ચિમ રેલવે News

વેસ્ટર્ન રેલવેનો મોટો નિર્ણય, ગાંધી જયંતીએ ટ્રેનોમાં નહિ પિરસે નોનવેજ ફૂડ
વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા મહાત્મા ગાંધીજી (Mahatma gandhi) ના જન્મ દિવસથી એક નવો નિયમ અમલમાં મૂકાવાનો છે. 2 ઓક્ટોબરે (2 October) વેસ્ટર્ન રેલવેની તમામ ટ્રેનોમાં માત્ર વેજ ફુડ (Veg Food) પિરસાશે. પશ્ચિમ રેલ્વે દ્વારા પરિપત્ર કરી રેલવેના તમામ કેટરીંગને આ વિશેની જાણ કરાઈ છે. જે મુજબ હવે ગુજરાતની ટ્રેનોમાં પણ શાકાહારી ભોજન જ પિરસાશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી (Gandhi Jayanti) પહેલા પશ્ચિમી રેલવેએ મહત્વની જાહેરાત કરી છે. સોમવારે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પશ્ચિમી રેલવે ગાંધી જયંતી પર ટ્રેનોમાં નોનવેજ (Non veg) ભોજન નહિ પિરસે. રસપ્રદ બાબત તો એ છે કે, ગત વર્ષે પણ ભારતીય રેલવે (Indian Railway) એ આ પ્રકારની જાહેરાત કરી હતી. જોકે, લોકોના વિરોધ બાદ આ નિર્ણય પરત લેવો પડ્યો હતો. 
Sep 25,2019, 8:31 AM IST
ટ્રેનમાં યાત્રીઓની માલિશની સુવિધાનું બાળ મરણ, નાગરિકોની ટીકા બાદ નિર્ણય
પશ્ચિમ રેલ્વેએ મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇંદોરથી ચાલતી 39 રેલગાડીઓમાં મુસાફરી દરમિયાન યાત્રીને માલિશની સુવિધા આપીને વધારાની કમાણી કરવાનાં પ્રસ્તાવને પરત લેવાનો નિર્ણય લેવાયો છે. રેલવેએ આ પ્રસ્તાવને સમાજનાં અલગ અલગ તબક્કાનાં લોકોએ વિવાદાસ્પદ ગણાવતા તેના પર સવાલ ઉઠાવ્યા હતા. પશ્ચિમ રેલવેએ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, રતલામ મંડલે ઇંદોરથી ચાલતી 39 ટ્રેનોમાં યાત્રીઓને માલિશની સુવિધા આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જો કે જેમ કે આ ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચ્યો, તેને પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. પશ્ચિમ રેલવે ગ્રાહકોની સલાહનો આદર કરે છે અને તેના પર સમયાંતરે પગલા ઉઠાવીને તેને લાગુ પણ કરે છે. 
Jun 15,2019, 22:42 PM IST
‘વાયુ’ વાવાઝોડાની આફતને પગલે 70ટ્રેન રદ્દ, સ્થળાંતર માટે દોડાવાશે સ્પેશિયલ
Jun 13,2019, 1:34 AM IST

Trending news