Gujarat HevayRains: છેલ્લા 24 કલાકમાં રાજ્યના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ફરી એકવાર ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે. ચારેબાજુ માવઠાથી માઠી દશા જોવા મળી રહી છે. ખેડૂતોને બીજો કમ્મરતોડ ફટકો મળતા અનેક તેમની આપવીતી જણાવી રહ્યા છે. સુરતમાં ફૂંકાયેલા મીની વાવાઝોડાએ લગ્ન પ્રસંગોના આયોજન પર પાણી ફેરવી દીધું છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે.
Gujarat Heavy Rains updated: હવે વરસાદનો અંતિમ રાઉન્ડ ગુજરાતને ધમરોળશે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં આવતા મહિને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર વધુ એક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેથી ચારથી દસ સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે અને મધ્ય ગુજરતામાં ભારે વરસાદની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.
હાલ પૂરતું ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ સપ્ટેમ્બર માસમાં વરસાદનું જોર ફરીથી શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી, ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.
Weather expert Ambalal Patel prediction: રાજ્યમાં ડિપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે.
Gujarat IMD Alert and Warning: ગુજરાત પર હાલ મંડરાઈ રહ્યો છે વિનાશક વાવાઝોડાનો ખતરો. ત્યારે રોજ અલગ અલગ આગાહીઓથી લોકોમાં પ્રસરી રહ્યો છે ફફડાટ. ત્યારે શું છે વાસ્તવિક સ્થિતિ?
ગુજરાતમાં વરસાદે કેવો વિનાશ વેર્યો છે તેની સાક્ષી આ ચાર દ્રશ્યો પુરી રહ્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીનો પ્રકોપ આખા શહેરમાં છે. તો વડોદરાની અન્ય નદીઓના પાણી ફરી વળતાં ગ્રામ્ય વિસ્તાર બેહાલ બની ગયા છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન આવતીકાલે વધુ સક્રિય થશે. વાવાઝોડાને પગલે આવતીકાલ ગુજરાત માટે ભારે છે. જી હાં આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે, ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે.
ગુજરાતમાં હાલ ભારે વરસાદ અને પૂરના પ્રકોરની સ્થિતિ છે. આવી સ્થિતિમાં મોબાઈલ નેટવર્ક પણ કામ નથી કરતા અને લોકો સંપર્ક વિહોણા બને છે. ત્યારે તમારો જીવ બચાવવા ભારત સરકારે શરૂ કરી છે ખાસ સુવિધા. જેમાં તમે ગમે તે નેટવર્કથી સીધી થઈ શકશે કનેક્ટ. અને ગમે ત્યાં કરી શકશો સંપર્ક.
Ambalal Patel's Big Rain Forecast: ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો પર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે.
કચ્છના 10 તાલુકાના 87 જેટલા સ્થળોએ ભયજનક સ્થળ ગણાવી પ્રવેશ કરવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ કચ્છ કલેક્ટર દ્વારા ફરમાવવામાં આવ્યા છે. પ્રવાસન સ્થળોએ વ્યક્તિ કે પ્રવાસીઓએ અવર જવર ના કરવા વિશેષ તાકીદ કરાઈ છે.
Cyclone in Gujarat:ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક વાવાઝોડાનો ખતરો. લગભગ પાંચ દાયકા બાદ ફરી ગુજરાત આવી શકે છે વિનાશક વાવાઝોડાની ઝપેટમાં. અરબી સમુદ્રમાં એક્ટીવ થઈ ગઈ છે ખતરનાક સિસ્ટમ. જાણીલો હવામાન વૈજ્ઞાનિક પરેશ ગોસ્વામીની ઘાતક આગાહી...
Gujarat Weather:ગુજરાતમાં આ વર્ષે એક પછી એક આફત આવી રહી છે. બિપરજોય વાવાઝોડાથી તબાહી મચી. ત્યારબાદ પણ સતત વરસાદ, હવે ભર શિયાળા માવઠાની માથાકૂટે જગતના તાત સહિત લોકોની મુશ્કેલીઓ વધારી છે. એમાં પણ હવે આગાહીકાર અંબાલાલની જે નવી આગાહી આવી છે તેનાથી ખાસ કરીને ખેડૂતોને ચિંતા થાય તેવું છે. આ ઉપરાંત ફરી વાવાઝોડું પણ આવી શકે છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
IMD Forecast: અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં ફેરફાર નહીં આવે. જ્યારે કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે.
Gujarat Weather: એવી વાત સામે આવી હતી કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એક નહીં બે બે વાવાઝોડા અને કમોસમી વરસાદનો સામનો કરવો પડશે, પરંતુ વાવાઝોડું અરબી સમુદ્રમાં ત્રાટકશે આ સમાચાર બિલકુલ અફવા છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટમાં એક એવી અફવા છે કે એક વાવાઝોડું 15મી ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં ત્રાટકશે.
Dwarka Temple : વાવાઝોડાનું સંકટ ટળી જતા હર્ષ સંઘવી દ્વારા દ્વારકા મંદિરમાં 52 ગજની ધજા ચઢાવાઈ... લોકોના સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી
હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ જાણકારી મુજબ બિપરજોય વાવાઝોડું હાલ જખૌ બંદરથી 70 કિમી દૂર છે અને નલિયાથી 50 કિમી દૂર છે. વાવાઝોડું હવે ગુજરાતથી દૂર થઈ રહ્યું હોય તેવું લાગે છે. આ અગાઉ વાવાઝોડું નલિયાથી 30 કિમી દૂર હતું. આ વાવાઝોડાની દિશાની વાત કરીએ તો તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેના પ્રભાવથી ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતના કાંઠે ટકરાયા બાદ ચક્રવાત બિપરજોયની ભયાનક અસર જોવા મળી. કચ્છ જિલ્લા પર જોવા મળી ચક્રવાત બિપરજોયની ભારે અસર. બીજી બાજુ અસરની વાત કરીએ તો મોડી રાતથી વહેલી સવાર સુધી કચ્છમાં અતિભારે પવન ફુંકાયો. સમયાંતરે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો. ચક્રવાત હાલ કચ્છ જિલ્લા તરફ આગળ વધી રહ્યું છે.
Organ Donation પ્રશાંત ઢીવરે/સુરત : બીપોરજોય વાવાઝોડા વચ્ચે સુરતથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે .સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય બ્રેઈન ડેડ દયાનંદ શિવજી વર્માનું અંગદાન કરવામાં આવ્યું છે. દયાનંદના હૃદય, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન બક્ષી છે. ત્યારે ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાનની ૪૭મી ઘટના બની છે.
Cyclone Biporjoy:વિપત પડે નવ વલખીએ વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીયે ઉદ્યમ વિપતને ખાય. 1998માં આવેલ વાવાઝોડાના અનુભવને ધ્યાને લઈ વાવાઝોડા વખતે રસુલનગરના ગ્રામજનો દ્વારા સ્વયંભુ કરાતી આગોતરી તૈયારી
Cyclone Biparjoy:બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે
મિની વાવાઝોડમાં ગાયબ થયેલી જાફરાબાદની લાપતા બોટની ભાળ મળી છે. બે દિવસ પહેલા દરિયામાં ફૂંકાયેલા પવનથી બોટ ડૂબી હોવાની આશંકા હતી. પણ હવે બોટ મળી આવતા હાશકારો થયો છે. આ બોટમાં સવાર 8 ખલાસી સંપર્ક વિહોણા થયા હતા, જેથી માછીમારો ચિંતાતુર હતા. પરંતુ આઠેય માછીમારો હવે જીવંત હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો.