પુલવામા આતંકી હુમલાથી ઉકળી ગયું આ શક્તિશાળી દેશના PMનું લોહી, કહ્યું- 'ડિયર મોદી અમે તમારી સાથે'

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે પુલવામા આતંકી હુમલા બાદ એકજૂથતા જાહેર કરતા કહ્યું કે ઈઝરાયેલ આ દુ:ખની ઘડીમાં ભારતની પડખે છે. જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયાં. અનેક ગંભીર રીતે ઘાયલ થયા. જૈશ એ મોહમ્મદના આતંકી હુમલાખોરે 100 કિગ્રા વિસ્ફોટકો ભરેલી કારથી પુલવામામાં સીઆરપીએફની બસને ટક્કર મારી હતી. 
પુલવામા આતંકી હુમલાથી ઉકળી ગયું આ શક્તિશાળી દેશના PMનું લોહી, કહ્યું- 'ડિયર મોદી અમે તમારી સાથે'

જેરુસેલમ/વોશિંગ્ટન/મોસ્કો: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે પુલવામા આતંકી હુમલા બાદ એકજૂથતા જાહેર કરતા કહ્યું કે ઈઝરાયેલ આ દુ:ખની ઘડીમાં ભારતની પડખે છે. જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયાં. અનેક ગંભીર રીતે ઘાયલ થયા. જૈશ એ મોહમ્મદના આતંકી હુમલાખોરે 100 કિગ્રા વિસ્ફોટકો ભરેલી કારથી પુલવામામાં સીઆરપીએફની બસને ટક્કર મારી હતી. 

અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સાઉદી અરબ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિત દુનિયાના અનેક દેશોએ જમ્મુ અને કાશ્મીરના આ ભયાનક આતંકી હુમલાની નીંદા  કરી છે. આ દેશોએ આતંકવાદ સામેની લડાઈમાં ભારત પ્રત્યે પોતાનું સમર્થન પણ વ્યક્ત કર્યું છે. 

હુમલાની નીંદા કરતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે આ હુમલાને અંજામ આપનારા અને તેને પ્રાયોજિત કરનારા લોકો સામે કેસ થવો જોઈએ. તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે પોતાનો સહયોગ મજબુત બનાવવા પોતાના દેશના સમર્થનને દોહરાવ્યું. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલા સંદેશમાં પુતિને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આતંકવાદી કૃત્યમાં સીઆરપીએફના જવાનોના થયેલા મોત મામલે કૃપા કરીને મારી સંવેદનાઓ સ્વીકાર કરો. અમે આ જઘન્ય અપરાધની આકરી નીંદા કરીએ છીએ. આ હુમલાને અંજામ આપનારા લોકો અને તેના પ્રાયોજકોને યોગ્ય સજા મળવી જોઈએ. 

Benjamin Netanyahu tweet

અમેરિકાએ પણ પુલવામા હુમલાની નીંદા કરી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે ગુરુવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનને અપીલ કરે છે કે તે પોતાની ધરતી પરથી આતંકી ગતિવિધિઓ ચલાવનારા આવા તમામ આતંકી સંગઠનોને સમર્થન અને શરણ આપવાનું બંધ કરે. 

તેમણે કહ્યું કે આ હુમલો આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમેરિકા અને ભારતના સહયોગ અને ભાગીદારીને વધુ વધારવાના અમારા સંકલ્પને વધુ મજબુત કરે છે. સેન્ડર્સે કહ્યું કે અમેરિકા પુલવામા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરે છે. 

ઓસ્ટ્રેલિયાના પણ તમામ રાજકીય નેતાઓએ આ હુમલાની ટીકા કરી. વડાપ્રધાન સ્કોટ મોરિસને શુક્રવારે એક ટ્વિટ કરીને કહ્યું કે અમે પીડીતોના પરિજનો અને તમામ ઘાયલો પ્રત્યે ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ. અમારા વિચાર મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય લોકોની સાથે છે. 

સાઉદી અરબે કહ્યું કે તેઓ આતંકવાદ અને ચરમપંથ વિરુદ્ધની ભારતની લડાઈમાં તેમની સાથે છે તથા પુલવામામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ તરફથી અંજામ અપાયેલા આત્મઘાતી હુમલાને કાયરતાપૂર્ણ હરકત ગણાવી. 

આ ઉપરાંત ફ્રાન્સ, બાંગ્લાદેશ,. ભૂટાન અને શ્રીલંકાએ પણ પુલવામા આતંકી હુમલાને કડક શબ્દોમાં વખોડ્યો. ચીને બેવડું ધોરણ અપનાવતા હુમલાની ટીકા તો કરી પરંતુ તેણે પાકિસ્તાન સ્થિત આતંકી સમૂહ જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને યુએન દ્વારા આતંકી જાહેર કરાવવાની ભારતની અપીલને ફરી એકવાર ફગાવી દીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news