હવે રશિયાએ કરી ભારતની પ્રશંસા, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે નિકાળવામાં આવી રહ્યા છે આ અર્થો

રશિયન એમ્બેસીએ એમ પણ કહ્યું હતું કે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીની ભાવનામાં, રશિયા યુક્રેનની આસપાસની પરિસ્થિતિ પર ભારત સાથે ગાઢ સંવાદ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

હવે રશિયાએ કરી ભારતની પ્રશંસા, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે નિકાળવામાં આવી રહ્યા છે આ અર્થો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને લઈને ભારત પણ ખૂબ ચર્ચામાં છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને થોડા દિવસ પહેલા પીએમ મોદી સાથે વાત કરી હતી, તો યુક્રેને પણ શનિવારે પીએમ મોદી સાથે વાત કરીને મદદની આશા વ્યક્ત કરી છે. દરમિયાન, ભારતમાં રશિયન દૂતાવાસે કહ્યું છે કે તે 25 ફેબ્રુઆરીએ યુએનએસસીમાં મતદાનમાં ભારતની સ્વતંત્ર અને સંતુલિત સ્થિતિની ખૂબ પ્રશંસા કરે છે.

રશિયન એમ્બેસીએ કહી આ વાત
રશિયન એમ્બેસીએ એમ પણ કહ્યું હતું કે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીની ભાવનામાં, રશિયા યુક્રેનની આસપાસની પરિસ્થિતિ પર ભારત સાથે ગાઢ સંવાદ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

યુક્રેને પણ ભારત પાસે માંગી મદદ!
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ શનિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સ્થિતિ વિશે જાણકારી આપી હતી. રશિયાના હુમલાથી થયેલી તબાહીનું વર્ણન કરતા તેમણે ભારત પાસે મદદ માંગી.

રશિયાએ ભારતના તટસ્થ વલણની કરી પ્રશંસા
આ યુદ્ધની વચ્ચે રશિયાએ અત્યાર સુધી ભારત દ્વારા અપનાવવામાં આવેલા ન્યાયી વલણની પ્રશંસા કરી છે. રશિયાએ કહ્યું કે ભારતે અત્યાર સુધી સમગ્ર મામલામાં તાર્કિક વલણ અપનાવ્યું છે અને પરિસ્થિતિને અતિશયોક્તિ કરવાને બદલે વાતાવરણને શાંત કરવાની વાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news