WHO એક્સપર્ટનો દાવો, COVID-19 નથી સૌથી ભીષણ મહામારી, અન્ય ઘાતક વાયરસની ઝપેટમાં આવી શકે છે દુનિયા

WHO on Coronavirus: ડો. રાયને મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, આ મહામારી ખુબ ગંભીર રહી અને ધરતીના દરેક ખુણા પર તેની અસર રહી પરંતુ જરૂરી નથી કે સૌથી મોટી હોય. તેમનું કહેવું છે કે 'આ જાગવાનો સમય છે.

WHO એક્સપર્ટનો દાવો, COVID-19 નથી સૌથી ભીષણ મહામારી, અન્ય ઘાતક વાયરસની ઝપેટમાં આવી શકે છે દુનિયા

જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (WHO) પ્રમાણે કોરોના વાયરસની મહામારી 'સૌથી ભયાનક' નથી અને તેનાથી વધુ ઘાતક વાયરસ દુનિયાને પોતાની ઝપેટમાં લઈ શકે છે. WHOના ઇમરજન્સી પ્રોગ્રામ હેડ ડો. માઇક રાયનનું કહેવુ છે કે આ મહામારીએ દુનિયાને નિંદરમાંથી જગાડવાનું કામ કર્યુ છે. કોરોના વાયરસે વિશ્વમાં 18 લાખથી વધુ લોકોના જીવ લીધા છે. આ પહેલા સ્પેનિશ ફ્લૂને ભીષણ વૈશ્વિક મહામારી માનવામાં આવે છે જેમાં એક વર્ષની અંદર 5 કરોડ લોકોના મોત થયા હતા. 

ડો. રાયને મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, આ મહામારી ખુબ ગંભીર રહી અને ધરતીના દરેક ખુણા પર તેની અસર રહી પરંતુ જરૂરી નથી કે સૌથી મોટી હોય. તેમનું કહેવું છે કે 'આ જાગવાનો સમય છે. અમે શીખી રહ્યાં છીએ કે કઈ રીતે વિજ્ઞાન, લોજિસ્ટિક્સ, ટ્રેનિંગ અને પ્રશાસનમાં સારી કરી શકાય છે. કઈ રીતે સંચારને વધુ સમૃદ્ધ કરી શકાય છે પરંતુ આપણા ગ્રહ નાજુક છે.' તેમણે કહ્યું કે, આપણે એક જટીલ વૈશ્વિક સમાજમાં રહીએ છીએ અને ખતરા જારી રહેશે. આપણે આ ત્રાસદીમાંથી શીખવુ જોઈએ કે કઈ રીતે સાથે મળીને કામ કરવાનું છે. આપણે સારૂ કામ કરીને તેને સન્માન આપવું જોઈએ જેને આપણે ગુમાવી દીધા. 

બન્યો રહેશે જિંદગીનો ભાગ
ભલે અમેરિકા અને યૂરોપમાં વેક્સિન આવી ગઈ છે પરંતુ રાયનને તે પણ કહ્યું કે, વાયરસ આપણા જિંદગીઓનો ભાગ રહીને રહેવાની સંભાવના વધુ છે. તેમણે કહ્યું કે, આ એક ખતરનાક વાયરસ રહેશે પરંતુ તેનાથી ખતરો ઓછો થતો જશે. તે જોવાનું રહેશે કે વેક્સિનનો ઉપયોગ તેને કેટલા હદ સુધી ઓછો કરી શકે છે. ભલે વેક્સિન ખુબ અસરકારક હોય, તે વાતની ગેરંટી નથી કે કે સંપૂર્ણ રીતે વાયરસ કે તેનાથી થતી બીમારીને ખતમ કરી દેશે. તેથી પહેલા એવા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે જેને તેનો ખતરો વધુ છે. 

પહેલાની ભીષણ મહામારીઓ
સ્પેનિશ ફ્લૂનો શિકાર મોટાભાગના યુવા હતા અને 20-40 વર્ષની ઉંમરના લોકોના મોતની આશંકા તેમાં વધુ હતી. માનવામાં આવે છે કે જો તેવી મહામારી ફરીથી ઉભી થાય તો વૈશ્વિક સભ્યતા ઠપ્પ થઈ જશે અને સૌથી મોટું ખાદ્ય સંકટ આવી જશે. ભોજનની કમીથી તોફાનો થવા લાગશે જેથી સરકારો હલી જશે અને વિશ્વમાં રાજકીય અસ્થિરતા ઉભી થશે. તો વિશ્વમાં સૌથી ભયાનક મહામારી બ્લેક ડેથને માનવામાં આવે છે, જેણે 1347 અને 1351 વચ્ચે આફ્રિકા, યૂરોપ અને એશિયામાં 7.5 કરોડથી 20 કરોડ વચ્ચે લોકોના જીવ લીધા હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news