ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મોદી સરકારનું મોટું પગલું, 22 ટેક્સ અધિકારીઓને જબરદસ્તીથી અપાઈ નિવૃત્તિ 

આ તમામ અધિકારીઓ મોટા પદ પર હતા. તેમની વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અને પદના દુરુપયોગનો આરોપ લાગ્યો છે

ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મોદી સરકારનું મોટું પગલું, 22 ટેક્સ અધિકારીઓને જબરદસ્તીથી અપાઈ નિવૃત્તિ 

નવ દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના 22 અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ અધિકારીઓ વિરૂદ્ધ કથિત રીતે કરપ્શનના ગંભીર આરોપ છે અને એટલે તેમને જબરદસ્તીથી નિવૃત્તિ આપી દેવામાં આવી છે. આ અધિકારી સુપ્રિટેન્ડન્ટ લેવલના છે. મળતી માહિતી પ્રમાણે આ તમામ અધિકારીઓ પર CBIની નજર હતી અને તેઓ જાળમાં ફસાઈ જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પહેલા નાણા મંત્રાલયે 27 IRS (ઇન્ડિયન રેવન્યુ સર્વિસ) અધિકારીઓને આવી જ રીતે પરાણે નિવૃત કર્યા હતા. આમાંથી 12 અધિકારીઓ તો માત્ર ઈન્કમટેક્સ વિભાગના જ હતા. આ રિટાયર્ડ અધિકારીઓની યાદી નીચે પ્રમાણે છે.

1. Shri K K. Uikey
2. Shri S.R. Parate
3. Sh. KailashVerma
4. Sh. K.C, Mandal
5. Sh. M.S Damor (
6. Sh. R.S. Gogiya
7. Sh. Kishore Patel
8. Sh. J.C Solanki
9. Sh. S.K. Mandal
10. Sh. Govind Ram Malviya
11. Sh. A.U. Chhapargare
12. Sh. S. Asokaraj
13. Sh. Deepak M Ganeyan
14. Pramod Kumar
15. Sh. Mukesh Jain
16. Sh. NavneetGoyal
17. Sh. Achintya Kumar Pramanicik
18. Sh. V.K. Singh (10.01.1963)Supdt
19. Shri D.R. Chaturvedi
20. Sh D. Ashok
21. ShLeela Mohan Singh
22. Sh. V.P. Singh (22.09.1964)Supdt

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news