Sushant Singh Rajput ની મોત હત્યા કે આત્મહત્યા? AIIMS ની ટીમે સીબીઆઇને સોપ્યો રિપોર્ટ

બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોતના મામલે એમ્સની ફોરેન્સિક ટીમ, સીબીઆઇની ટીમ અને સીએફએસએલના એક્સપોર્ટ વચ્ચે આજે મીટીંગ થઇ છે.

Sushant Singh Rajput ની મોત હત્યા કે આત્મહત્યા? AIIMS ની ટીમે સીબીઆઇને સોપ્યો રિપોર્ટ

મુંબઇ: બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોતના મામલે એમ્સની ફોરેન્સિક ટીમ, સીબીઆઇની ટીમ અને સીએફએસએલના એક્સપોર્ટ વચ્ચે આજે મીટીંગ થઇ છે. એમ્સ તરફથી 4 ડોક્ટર સીબીઆઇ હેડક્વાર્ટ્સ સવારે 11 વાગે પહોંચ્યા. આ મીટિંગ લગભગ 2 કલાક ચાલી હતી. એમ્સ તરફથી કરવામાં આવેલી ફોરેન્સિક તપાસનો રિપોર્ટ સીબીઆઇને સોંપવામાં આવ્યો છે. સમાચારો અનુસાર સીબીઆઇ હવે તે રિપોર્ટને એનાલાઇઝ કરી રહ્યો છે. 

તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂત સાથે સંકળાયેલા ડ્રગ્સ એંગલથી થઇ રહેલી તપાસમાં એનસીબીએ બોલીવુડના ઘણા મોટાકલાકારો સાથે પૂછપરછ કરી અને હવે એનસીબી પ્રમુખ રાકેશ અસ્થાના (Rakesh Asthana) પોતે નિરિક્ષણ કરવા માટે રવિવારે મુંબઇ પહોંચી ગયા છે. એનસીબી સૂત્રોના અનુસાર અસ્થાના રવિવારે મુંબઇ પહોંચ્યા. તેમણે કેસ સાથે જોડાયેલા ઘણા અધિકારીઓ સાથ વાતચીત કરી અને કેસમાં અત્યાર સુધી થયેલી પ્રગતિનું નિરિક્ષણ કર્યું. જ્યારે ઇડીએ ગત મહિને ડ્રગ્સ ચેટમાં બોલીવુડન ઘણા કલાકારોના નામ દાખલ કર્યા હતા. તેમણે કેસમાં નવા ડેવલોપમેન્ટ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા. 

એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને દીપિકા પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે શનિવારે પૂછપરછ કરી હતી. આ ક્રમમાં એનસીબીએ ધર્મા પ્રોડક્શનના પૂર્વ અધિકારી ક્ષિતિત પ્રસાદની ધરપકડ કરી હતી. તે હજુ સુધી ત્રણ ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news