ઘોર કળિયુગ! 12 વર્ષીય સગીરાને જોઈ આચાર્યના મનમાં સળવળ્યો હવસનો કીડો! એવી એવી હરકતો કરી કે...

આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે એ માટે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ ઘડવામાં આવી છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાં આશ્રમશાળાઓ સ્થાપી બાળકો ત્યાં જ રહીને અભ્યાસ કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઘોર કળિયુગ! 12 વર્ષીય સગીરાને જોઈ આચાર્યના મનમાં સળવળ્યો હવસનો કીડો! એવી એવી હરકતો કરી કે...

ધવલ પરીખ/નવસારી: શિક્ષણને લજવતી એક ઘટના નવસારીના આદિવાસી બાહુલ્ય અને છેવાડાના ગામમાં બની છે. એક દીકરીના પિતા એવા વાલ્મિકી આશ્રમશાળાના લંપટ આચાર્યએ આશ્રમશાળાની જ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 8 માં ધોરણની 12 વર્ષીય વિદ્યાર્થિનીની, મનમાં કામેચ્છા રાખી છેડતી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે હવસખોર આચાર્યની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે.

આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે એ માટે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ ઘડવામાં આવી છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાં આશ્રમશાળાઓ સ્થાપી બાળકો ત્યાં જ રહીને અભ્યાસ કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવી જ એક આશ્રમશાળા વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી વાલ્મિકી આશ્રમશાળામાં રહેતા તેમજ એક દીકરીના પિતા ભૂપેશ અમૃત વહીયા 15 વર્ષથી આજ આશ્રમ શાળાના શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવે છે. શાળાના આચાર્ય ભૂપેશને થોડા સમયથી આશ્રમશાળામાં છેલ્લા 5 વર્ષથી રહીને અભ્યાસ કરતી 12 વર્ષીય સગીરાને જોઈ હવસનો કીડો સળવળિયો હતો. 

નરાધમ ભૂપેશ બાળકીને કૃષ્ણ જન્માષ્ટમીના પર્વ પર કવિતા શીખવાડવાના બહાને પોતાની ઓફિસમાં તો ક્યારેક બાળકીના રૂમમાં જઈ તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. પોતાના ગુરૂ દ્વારા શરીરને અડવાની ચેષ્ટા બાળકીને કંઈક અજુગતી લાગતી હતી. પરંતુ માસુમ બાળા શિક્ષકની હરકતને પ્રથમ સમજી ના શકી, ગત 24, 25 ઓગસ્ટ અને 28 ઓગસ્ટના રોજ આ લંપટ આચાર્યએ સગીર વિદ્યાર્થીનીને બાથમાં ભીડી હદ વટાવવાનો પ્રયાસ કરતા, બાળકીએ હિંમતથી પોતાના પરિવારને તેની સાથે શિક્ષકની અભદ્ર વર્તણુકની આપવીતી વર્ણવી હતી. જે બાદ પરિવારે વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, ગણતરીના કલાકોમાં પોલીસે હવસખોર આચાર્યની ધરપકડ કરી હતી. પોલીસે આચાર્ય ભૂપેશ વહિયાનો મેડિકલ ટેસ્ટ કરાવી આગળની તપાસ આરંભી છે.

વાંસદાના અંતરિયાળ ગામની વાલ્મિકી આશ્રમશાળાના આચાર્યએ માસુમ બાળકી સાથે કરેલી છેડછાડને લઈ સમગ્ર પંથકમાં શિક્ષક પ્રત્યે આક્રોશ વ્યાપ્યો છે. ત્યારે આચાર્ય ભૂપેશ દ્વારા અન્ય વિદ્યાર્થીનીઓને પોતાની હવસનો શિકાર બનાવી તેમની સાથે છેડછાડ કરી છે કે કેમ..? એ દિશામાં પોલીસે તપાસ આરંભી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news