હર્ષ સંઘવીની પોલીસ કર્મીઓને ટકોર, ‘નાગરિકો સાથે ગેરવર્તનની ફરિયાદ મારા સુધી પહોંચી તો....’

સુરત પોલીસ દ્વારા નવી પહેલ શરૂ કરાઈ છે. સુરત પોલીસ દ્વારા "ભવિષ્ય" કેન્દ્ર શરૂ કરાયુ છે. સુરત પોલીસ પરિવારના દીકરા દીકરીઓ માટે આ કેન્દ્ર કારકિર્દી માટે પ્રેરણા આપનારુ બની રહેશે. રાજ્યના ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરાયુ હતું. કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહ્યું હતું કે, નાગરિકો સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે.

હર્ષ સંઘવીની પોલીસ કર્મીઓને ટકોર, ‘નાગરિકો સાથે ગેરવર્તનની ફરિયાદ મારા સુધી પહોંચી તો....’

ચેતન પટેલ/સુરત :સુરત પોલીસ દ્વારા નવી પહેલ શરૂ કરાઈ છે. સુરત પોલીસ દ્વારા "ભવિષ્ય" કેન્દ્ર શરૂ કરાયુ છે. સુરત પોલીસ પરિવારના દીકરા દીકરીઓ માટે આ કેન્દ્ર કારકિર્દી માટે પ્રેરણા આપનારુ બની રહેશે. રાજ્યના ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરાયુ હતું. કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહ્યું હતું કે, નાગરિકો સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે.

ગૃહ રાજ્યમંત્રીએ સુરતમાં "ભવિષ્ય" કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમમાં કહ્યું હતું કે, નાગરિકો સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે. પાસપોર્ટ કે સામાન્ય કામ માટે પોલીસ સ્ટેશન આવતા લોકો સાથે કોઈપણ ગેરવર્તન કરશે તો તેની સામે પગલાં ફરજો અને જો કોઈ ઉચ્ચ અધિકારીઓ પગલાં નહીં ભરે અને ફરિયાદ મારા સુધી પહોંચી તો તે ઉચ્ચ અધિકારી સામે પગલાં ભરાશે. સાથે તમામ પોલીસ અધિકારીઓને ફૂટ પેટ્રોલિંગ વધારવાની સૂચના આપી છે. સોસાયટીમાં જાગૃતિ લાવવા માટે પેટ્રોલિંગ વધારવાનું અભિયાન શરૂ કરાયું છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 8, 2022

સુરતમાં પોલીસ પરિવાર માટે ભવિષ્ય કેન્દ્ર અભિયાનની નવી પહેલનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો. જે પોલીસ પરિવારના બાળકો માટે UPSC, GPSC સહિત સરકારી પરીક્ષામાં કારકીર્દી બનવા માટે ખુબ ઉપયોગ થશે. પોલીસ દ્વારા વિશેષ લાયબ્રેરી સેવા પણ શરૂ કરાઈ છે. ત્યારે આ પ્રસંગે હર્ષ સંઘવીએ અધિકારીઓને પેટ્રોલિંગ વધારવા અને લોકો સાથે યોગ્ય વર્તન કરવાની સૂચના આપી હતી.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news