યાત્રાધામ અંબાજી દર્શનાથે જતા બે બાઇક સવારને નડ્યો અકસ્માત, એકનું મોત

ભાદરવી પૂનમને લઇને આજે લાખો ભાવિકો અંબાજીમાં વહેલી સવારથી જ યાત્રિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શનાથે જઇ રહેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોત નિપજ્યું છે.

યાત્રાધામ અંબાજી દર્શનાથે જતા બે બાઇક સવારને નડ્યો અકસ્માત, એકનું મોત

અલ્કેશ રાવ, બનાસકાંઠા: ભાદરવી પૂનમને લઇને લાખો ભાવિકોનો યાત્રાધામ અંબાજીમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત મોડી રાત્રીના મા અંબાના દર્શનાથે જઇ રહેલા બાઇક પર સવાર બે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક બાઇ સવારનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક કિરુભા વાઘેલા અને તેમના મિત્ર બાઈક પર યાત્રાધામ અંબાજી મા અંબાના દર્શનાથે જઇ રહ્યાં હતા. તે દરમિયાન કાંકરેજના ચીમનગઢ પાટિયા પાસે સામેથી આવતા બાઇક સાથે તેમનું બાઇક ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રસ્તા પર પટકાતા કિરુભા વાઘેલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘટનાની જાણ થતા 108 અને પોલીસ સ્થળે પહોંચી ગઇ હતી. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણેયને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા આવ્યા છે. જ્યારે મૃતક કિરુભા વાઘેલાને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે શિહોરી પોલીસે સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news