દિવાળી પહેલા ગુજરાતના આ 5 જિલ્લામાં કમોસમી વરસાદ; ખેડૂતો ચિંતામાં, હજુ 24 કલાક ભારેથી અતિભારે!

દિવાળીના તહેવારોમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અમરેલી અને સાપુતારમાં કમોસમી વરસાદ. માવઠાથી ખેડૂતો મુકાયા ચિંતામાં. હજુ પણ 24 કલાક માવઠાની હવામાનની આગાહી

દિવાળી પહેલા ગુજરાતના આ 5 જિલ્લામાં કમોસમી વરસાદ; ખેડૂતો ચિંતામાં, હજુ 24 કલાક ભારેથી અતિભારે!

Ambalal Patel Prediction: દિવાળીના તહેવારો પહેલા ગુજરાતનું વાતાવરણ બદલાયું છે. ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. દ્વારકા, જૂનાગઢ, સાપુતારા, ગીર સોમનાથ અને અમરેલીમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. વરસાદના લીધે મગફળી અને કપાસનાં તૈયાર પાકને નુકશાન થવાની ભિતી ખેડૂતો સેવી રહ્યા છે. ગીર સોમનાથ જીલ્લામાં કરા સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકશાનની ભીતી છે. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અને દિવસના ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના ચારથી પાંચ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તો લોકોની ઉંઘ હરામ કરતી આગાહી કરી દીધી છે, હવે હવામાન વિભાગે આગામી 24 કલાકને લઈને આગાહી કરી છે. આગામી 24 કલાકને લઇ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી કરાઈ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે.

નવા વર્ષ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે? શું કહે છે હવામાન વિભાગ અને શું કહે છે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી જાણીએ વિગતવાર...વાત કરીએ અમદાવાદની તો છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં હાલ વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ દિવાળીના તહેવારો આજથી શરૂ થઇ ગયા છે. ત્યારે સવાલ એ થાય કે શું દિવાળીના તહેવારમાં આડો આવશે વરસાદ?

દિવાળીમાં કેવું રહેશે વાતાવરણ, શું કહે છે અંબાલાલ?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ 14થી 16 દરમિયાન હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી તારીખ 16 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાત સર્જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતના હવામાનને પણ તેની અસર થવાની શક્યતાઓ છે. દિવાળીના તહેવારોમાં અરબ સાગરનો ભેજ આવી શકે છે, આ સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. ડિસેમ્બર માસથી આની અસર વધી જશે. જેના લીધે વાદળવાયુની અસર વધારે થશે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો ઠંડા રહેવાની આગાહી પણ તેઓ કરી રહ્યા છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે, રાજ્યના ડે ટેમ્પરેચરમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદમાં 35થી 36 ડિગ્રી તાપમાન થવાની સંભાવના છે. આ ઉપરાંતના વિસ્તારોમાં પણ વધારે ફેરફાર થવાની સંભાવના નથી. આ સાથે રાતનું તાપમાન એટલે મિનીમમ ટેમ્પરેચર પણ વધારે ફેરફાર થવાની સંભાવના નથી. રાતનું તાપમાન એકાદ ડિગ્રી વધી શકે છે અને જે પછી એકાદ ડિગ્રી ઘટી શકે છે. આગામી સાત દિવસમાં કોલ્ડવેવની કોઇ સંભાવના નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news