રામ જન્મભૂમિના પક્ષકાર મહંત ધર્મદાસને મારી નાખવાની ધમકી, પોલીસે સુરક્ષા વધારી 

અયોધ્યા વિવાદના હિન્દુ પક્ષકાર મહંત ધર્મદાસને ફોન પર મારી નાખવાની ધમકી મળી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં 40 વાર ધમકી અને અપશબ્દોભર્યા ફોન મહંત ધર્મદાસને કરાયા છે. મહંત ધર્મદાસે આ અંગે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પ્રશાસને હિન્દુ પક્ષકાર મહંત ધર્મદાસને સુરક્ષા આપી છે, પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. 
રામ જન્મભૂમિના પક્ષકાર મહંત ધર્મદાસને મારી નાખવાની ધમકી, પોલીસે સુરક્ષા વધારી 

અયોધ્યા: અયોધ્યા વિવાદના હિન્દુ પક્ષકાર મહંત ધર્મદાસને ફોન પર મારી નાખવાની ધમકી મળી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં 40 વાર ધમકી અને અપશબ્દોભર્યા ફોન મહંત ધર્મદાસને કરાયા છે. મહંત ધર્મદાસે આ અંગે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પ્રશાસને હિન્દુ પક્ષકાર મહંત ધર્મદાસને સુરક્ષા આપી છે, પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. 

અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા શ્રીરામ જન્મભૂમિના હિન્દુ પક્ષકાર અને હનુમાન ગઢીના સંત મહંત ધર્મદાસને ફોન પર ધમકી મળી છે. મહંત ધર્મદાસનું કહેવું છે કે તેઓ મુખ્ય હિન્દુ પક્ષકાર છે. રામલલ્લાની લડાઈ લડે છે. આવા ધમકીભર્યા ફોનથી તેઓ ડરવાના નથી. પોલીસ પોતાનું કામ કરે છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મહંત ધર્મદાસ શ્રીરામ જન્મભૂમિને લઈને સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર છે. આ સાથે જ હનુમાન ગઢ સાથે જોડાયેલા સંત છે. મહંત ધર્મદાસને ધમકીભર્યા ફોન આવતા હોવાની સૂચના બાદથી પોલીસ અને પ્રશાસન દોડતા થયા છે. રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ અંગે કેસ દાખલ થયો છે. મહંત ધર્મદાસને પોલીસ સુરક્ષા અપાઈ છે. પોલીસ આ અંગે ગંભીરતાથી તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news