ભૈયુજી મહારાજને પુત્રી કુહૂ આપશે મુખાગ્નિ, 3 વાગે આશ્રમમાં કરાશે અંતિમ સંસ્કાર

તણાવ કોઈના પણ જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે. ભય્યુજી મહારાજની આત્મહત્યા એ તાજુ ઉદાહરણ છે.

ભૈયુજી મહારાજને પુત્રી કુહૂ આપશે મુખાગ્નિ, 3 વાગે આશ્રમમાં કરાશે અંતિમ સંસ્કાર

ઈન્દોર: તણાવ કોઈના પણ જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે. ભૈયુજી મહારાજની આત્મહત્યા એ તાજુ ઉદાહરણ છે. આધ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજે અચાનક ઉઠાવેલા આ પગલાંથી તેમના પરિવારની સાથે સાથે અનુયાયીઓ પણ આઘાતમાં છે. મંગળવારે આધ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજે પોતાના નિવાસસ્થાન પર પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ તેમને બોમ્બે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.

પુત્રી કુહૂ આપશે મુખાગ્નિ
મળતી માહિતી મુજબ ભય્યુજી મહારાજના આજે બપોરે 3 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર તેમના જ આશ્રમ સૂર્યોદય ખાતે કરવામાં આવશે. અંતિમ સંસ્કાર પહેલા ભય્યુજી મહારાજનો પાર્થિવ દેહ તેમના ઈન્દોર ખાતેના આશ્રમમાં રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કારમાં સીએમ શિવરાજ ચૌહાણ સહિત અનેક વીઆઈપી હસ્તીઓ સામેલ થશે. એવા પણ રિપોર્ટ્સ છે કે ભય્યુજી મહારાજની પુત્રી કુહૂ તેમને મુખાગ્નિ આપશે.

2017માં કર્યા હતાં બીજા લગ્ન
મીડિયા રિપોર્ટ્સ મુજબ ભય્યુજી મહારાજના મોત પાછળ કૌટુંબિક વિવાદ મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે. હકીકતમાં ભય્યુજી મહારાજના પહેલી પત્નીના નિધન બાદ તેમણે બીજા લગ્ન કર્યા હતાં. પહેલી પત્નીથી તેમને કુહૂ(18) નામની પુત્રી છે. તેમણે મધ્ય પ્રદેશમાં શિવપુરીના ડો.આયુષી શર્મા સાથે બીજા લગ્ન કર્યા હતાં. પરંતુ કુહૂ આ સાવકી માતાને જરાય પસંદ કરતી નહતી.

પુત્રીને નહતી ગમતી સાવકી માતા
પુત્રી કુહૂએ પિતાના મોત માટે સાવકી માતા આયુષીને જવાબદાર ઠેરવી છે. બીજી બાજુ ભય્યુજી મહારાજની બીજી પત્ની ડો.આયુષી શર્મા પતિના મોતથી આઘાતમાં છે. દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ ભય્યુજી મહારાજના મોત બાદ આ વિવાદ ખુલીને સામે આવી ગયો છે. રિપોર્ટ મુજબ કુહૂએ પિતાના મોત માટે સાવકી માતાને જવાબદાર ઠેરવી છે. પુત્રીએ કહ્યું કે તેમના કારણે જ પિતાએ આ પગલું ભર્યું. તેમને જેલમાં નાખી દેવા જોઈએ.

આ બાજુ આયુષીએ કહ્યું હતું કે કુહૂને હું અને મારી પુત્રી જરાય ગમતા નહતાં. આથી જ હું મારી માતાના ઘરે રહેવા જતી રહી હતી. કુહૂના પુણે ગયા બાદ જ હું ઈન્દોર આવી અને અમે બંને સારી રીતે અહીં રહેતા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news