Breaking News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી

કેન્દ્રીય  ગૃહમંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત થયા છે. 

 Breaking News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હવે ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ડોક્ટરોની સલાહ બાદ તેઓ મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે રવિવારે સાંજે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે. તેમની તબીયત સારી છે પરંતુ ડોક્ટરોના કહેવા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. શાહે કહ્યુ કે, શરૂઆતી લક્ષણ દેખાયા બાદ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે લોકોને વિનંતી કરી છે કે જે પણ છેલ્લા થોડા દિવસથી સંપર્કમાં આવ્યા હોવ, તે ખુદને આઇસોલેટ કરીને પોતાની તપાસ કરાવે. 

— Amit Shah (@AmitShah) August 2, 2020

કોરોના વિરુદ્ધ લડાઈને મોનિટર કરી રહ્યાં છે શાહ
દેશમાં કોવિડ-19 આઉટબ્રેકની શરૂઆતથી શાહ સતત મોનિટરિંગમાં લાગ્યા હતા. રાજધાની જિલ્લીની સ્થિતિને તેમણે ખુદ મોનિટર કરી. તેમણે ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓની સાથે બેઠક કરી કોવિડ-19ની તાજા સ્થિતિની માહિતી મેળવતા હતા. લોકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈને ગાઇડલાઇન તૈયાર કરાવવામાં પણ શાહની મહત્વની ભૂમિકા રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news