રિડેવલપમેન્ટમાં બિલ્ડર તરફથી મળતા ઘર ભાડાં પર ઈનકમ ટેક્સ લાગે કે નહીં?

સામાન્ય રીતે જ્યારે કોઈ બિલ્ડિંગ રિડેવલપમેન્ટ માટે જાય છે ત્યારે ફલેટ માલિકોને બિલ્ડર દ્વારા વૈકલ્પિક આવાસ આપવામાં આવે છે અથવા માસિક ભાડાનું વળતર ચૂકવવામાં આવે છે. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ મુંબઈની બેન્ચે ભાડાં વળતરને કરદાતાની આવક નહીં પરંતુ મૂડી રસીદ ગણાવી હતી. 

રિડેવલપમેન્ટમાં બિલ્ડર તરફથી મળતા ઘર ભાડાં પર ઈનકમ ટેક્સ લાગે કે નહીં?
  • પ્રોજેક્ટ રિડેવલપમેન્ટમાં જવાથી માલિકને મળતાં ઘર ભાડાં પર ઈન્કમટેક્સ લાગે નહીં
  • કરદાતાએ વૈકલ્પિક મકાન માટે ભાડું ન ચૂકવ્યું હોય તો પણ ટેક્સની ગણતરી ન થાય
  • એપલેટ ટ્રિબ્યુનલે ચુકાદામાં કહ્યું, બિલ્ડર તરફથી ચૂકવાતું ભાડું આવક ના કહેવાય

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે બિલ્ડર પાસેથી ભાડાનું વળતર ફલેટ માલિકને આપવામાં આવે તો તેના પર ટેક્સ લાગુ નહીં પડે. ફફ્લેટ માલિકે ભાડાં પર અન્ય જગ્યાએ આવાસ લીધું ન હતું પરંતુ તે તેમના માતાપિતા સાથે રહેવા ગયા હોવાથી ભાડું લાગુ પડયું ન હોતું.

સામાન્ય રીતે જ્યારે કોઈ બિલ્ડિંગ રિડેવલપમેન્ટ માટે જાય છે ત્યારે ફલેટ માલિકોને બિલ્ડર દ્વારા વૈકલ્પિક આવાસ આપવામાં આવે છે અથવા માસિક ભાડાનું વળતર ચૂકવવામાં આવે છે. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ મુંબઈની બેન્ચે ભાડાં વળતરને કરદાતાની આવક નહીં પરંતુ મૂડી રસીદ ગણાવી હતી. આમ તે ફલેટના માલિકની આવક કરપાત્ર નહીં હોવાનો આદેશ મુંબઈની બેન્ચે અનુસર્યો હતો.

શહેરમાં 167 રિડેવલપમેન્ટ પ્રોજેક્ટઃ
શહેરમાં 167 સોસાયટીઓની રિડેવલપમેન્ટ હેઠળ મ્યુનિ.માં સત્તાવાર રીતે નોંધણી થઈ છે.
કુલ સોસાયટી રિડેવલપમેન્ટ હેઠળ        167
મકાન બનશે                8419
કોમર્શિયલ યુનિટ બનશે            837
યુનિટ બનશે                9256

અજય પારસમલ કોઠારીના કેસમાં નાણાકીય વર્ષ 2012-13માં કમ્પ્યુટર સ્ક્રૂટિનીમાં પદ્ધતિથી પસંદ કરીને ચકાસણી હેઠળ લેવામાં આવ્યો હતો. તપાસમાં આવકવેરા અધિકારીએ જણાવ્યું કે કોઠારીએ બિલ્ડર પાસેથી રૂ. 3.7 લાખ મેળવ્યા છે. કરદાતા કોઠારીનો મલાડમાં ફલેટ હતો અને તેને બિલ્ડરે રિડેવલપમેન્ટ માટે લઇને રૂ. 3.7 લાખની રકમ ભાડા પેટે ચૂકવ્યા હતા. ઇન્કમટેકસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, કરદાતાએ વૈકલ્પિક મકાન ભાડા માટે આ રકમનો ઉપયોગ કર્યો નથી. આમ આન્ય સ્રોતની આવક હેઠળ તેને કરપાત્ર આવક તરીકે ગણવાની પ્રક્રિયા કરી છે. જેને લઈને કોઠારીએ ઈન્કમટેક્સ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી હતી. 

ટેક્સ ટ્રિબ્યુનલે નોધ્યું હતું કે, જ્યારે કરદાતા તેના માતાપિતા સાથે રહેતા હતા ત્યારે પણ તેઓ પુનઃવિકાસ માટે પોતાનો ફલેટ ખાલી કરીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આમ ટેક્સ ટ્રિબ્યુનલે અગાઉના નિર્ણય પર આધાર રાખીને આ કિસ્સામાં પણ ભાડાની આવકને કરપાત્ર ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અપીલ દાખલ કરવામાં 1566 દિવસના વિલંબને પણ ટ્રિબ્યુનલે માફ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news