કંગના રનૌતનો સીએમ ઉદ્ધવ પર વધુ એક હુમલો, હવે- પુત્ર આદિત્ય પર કર્યો પ્રહાર


અભિનેત્રી કંગના રનૌત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર એક બાદ એક હુમલા કરી રહી છે. હવે કંગનાએ આદિત્ય ઠાકરેનના બહાને સીએમ પર નવો હુમલો કર્યો છે.  

કંગના રનૌતનો સીએમ ઉદ્ધવ પર વધુ એક હુમલો, હવે- પુત્ર આદિત્ય પર કર્યો પ્રહાર

મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. કંગનાએ મુંબઈ એરપોર્ટ પરથી ટ્વીટ કરીને જણાવ્યું કે, તે ભારે મનથી પરત જઈ રહી છે. ચંદીગઢ પહોંચીને કંગનાએ સંજય રાઉત અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યુ છે. સાથે પોતે સુરક્ષિત હોવાની સૂચના ફેન્સ સાથે શેર કરી છે. તેણે નવુ ટ્વીટ કરીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર નિશાન સાધ્યું છે. 

Kangana Ranautએ ચંડીગઢ પહોંચતા જ સાધ્યું સંજય રાઉત અને સોનિયા ગાંધી પર નિશાન

ટ્વીટ કરીને કંગનાએ આદિત્ય ઠાકરેને ઘેર્યા
અભિનેત્રી કંગના રનૌતે હાલમાં ટ્વીટ કરીને આદિત્ય ઠાકરે પર પ્રહાર કર્યો છે. તેણે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર પોતાના પુત્રને બચાવવાનો આરોપ લગાવ્યો છે. ટ્વીટ કરીને કંગનાએ લખ્યું, 'મહારાષ્ટ્રના સીએમની મૂળ સમસ્યા તે છે કે મેં ફિલ્મ માફિયા, એસએસઆરના હત્યારા અને ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો, જેની સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે  હેંગઆઉટ કરે છે. આ મારો મોટો ગુનો છે, તેથી તેઓ મને ઠીક કરવા ઈચ્છે છે. ભલે જોઈએ કોણ કોને ઠીક કરે છે.'

કંગનાએ રાજ્યપાલ સાથે કરી હતી મુલાકાત
ઉલ્લેખનીય છે કે કંગના રનૌત 9 સપ્ટેમ્બરે મુંબઈ પહોંચી હતી. તે મુંબઈ પહોંચે તે પહેલા બીએમસીએ તેની ઓફિસમાં તોડફોડ કરી હતી. તેનાથી કંગના ખુબ રોષે ભરાઇ હતી. કંગનાએ રવિવારે સાંજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજ્યપાલ સામે પોતાનો પક્ષ રાખ્યો હતો. મુલાકાત બાદ કંગનાએ કહ્યું કે, મને ન્યાય મળવાની આશા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news