એવો અંક જેણે નરેન્દ્ર મોદીને બનાવી દીધાં ભારતના ભાગ્ય વિધાતા! જાણો મોદીના મેજિક નંબરની કહાની

PM Modi Birthday: એક સામાન્ય ચા વાળો કઈ રીતે બની ગયો ભારતના કરોડો લોકોનો જનનાયક? ગુજરાતના નાનાકડા ગામડામાંથી સાવ સામાન્ય ઘરનો છોકરો કઈ રીતે બની ગયો ભારતનો પ્રધાનમંત્રી? શું છે પીએમ મોદીની સફળતાનું રહસ્ય? આ સવાલોના જવાબ જાણવા માટે તમારે મોદીના મેજિક નંબર વિશે જાણવું પડશે...

એવો અંક જેણે નરેન્દ્ર મોદીને બનાવી દીધાં ભારતના ભાગ્ય વિધાતા! જાણો મોદીના મેજિક નંબરની કહાની

Narendra Modi Birthday/ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ 17 સપ્ટેમ્બરે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો 73મો જન્મદિવસ ઉજવશે. ગુજરાત સહિત દેશભરમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. નરેન્દ્ર મોદી એક એવું નામ...જેણે ભલભલા રાજકીય પંડિતો, ભલભલા જ્યોતિષો અને દુનિયાભરના રાજનેતાઓને ખોટા ઠેરકીને સાહસ અને સંઘર્ષ થકી સફળતાનો અલગ માર્ગ બનાવ્યો. નરેન્દ્ર મોદી, એક સામાન્ય ચા વાળાથી લઈને વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશના બબ્બે વાર પ્રધાનમંત્રી બન્યા અને હવે લોકસભામાં જીતની હેટ્રીક લગાવીને સતત ત્રીજીવાર દેશનું સુકાન સંભાળવાની તૈયારી કરી રહ્યાં છે.

અંતરિક્ષના ક્ષેત્રમાં ચંદ્રયાન3 ને ચાંદ પર પહોંચાડીને ચાંદ પર તિરંગો લહોરાવવાની વાત હોય કે પછી જી20 સમીટની અધ્યક્ષતા કરીને દુનિયાની મહાસત્તાઓને ભારત સમક્ષ ઝુકાવવાની વાત હોય પીએમ મોદીને એકબાદ એક કેમ મળી રહી છે મોટી મોટી સફળતાઓ? નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઈક, કોરોના વખતે લોકડાઉન હોય કે પછી દેશભરમાં વેક્સીનેશન... કેમ પ્રધાનમંત્રી મોદી કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલાં સહેજ પણ ખચકાતા નથી? તેમની રાજકીય સુજબુજ, અથાક પરિશ્રમ ઉપરાંત બીજી પણ એક વસ્તુ છે જે તેમના સંઘર્ષથી સફળતાના શિખર સુધી સતત તેની સાથે રહી છે, એ વસ્તુ છે નંબર-8. જીહાં, 8નો મેજિક વધારી રહ્યો છે મોદીનો મેજિક. જાણો કઈ રીતે મોદીનો આ મેજિક નંબર દુનિયાભરમાં તેમના નામનો ફેલાવી રહ્યો છે જાદુ....

17 સપ્ટેમ્બર 1950ના રોજ પ્રધાનમંત્રી મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલાં વડનગરમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. જોકે, તેમના જીવન સાથે સંકળાયેલાં એક અંકના કારણે તેમનું જીવન અને ભારતનું ભવિષ્ય બદલાઈ ગયું... ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ સહિત તેમની સાથે 8 નો અંક ગજબ રીતે સંકળાયેલો છે. 8 ના અંક સાથે મોદીજીનો ગજબનો સંયોગ જોડાયેલો છે. 8 નો અંક મોદીનો લકી ચાર્મ બની ગયો છે. જાણો કઈ રીતે 8 નો અંક દુનિયામાં ફેલાવી રહ્યો છે મોદીનો મેજિક...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખ હોય, તેમનું નામ હોય, તેઓ ગુજરાતમાં હતા ત્યારે તેમનો તત્કાલિન વિધાનસભા મતવિસ્તાર હોય, તેઓ સીએમ હતા ત્યારે તેમની તત્કાલિન ગાડીઓનો કાફલો હોય, તેમણે જેતે સમયે ગુજરાતમાં લાગુ કરેલી વિવિધ યોજનાઓ હોય, કે કપરાં સમયમાં તેમણે સીએમ તરીકે લીધેલી શપથની તારીખ હોય...આ દરેકમાં ક્યાંકને ક્યાંક 8 ના અંકનો ગજબનો સંયોગ જોવા મળે છે. 8 નો આ મેજિક મોદીનો મેજિક વધારે છે એવું કહેવું પણ અતિશ્યોક્તિ ભર્યું નથી. જ્યોતિષ શાસ્ત્ર અને અંક શાસ્ત્ર મુજબ પણ 8 એ શનિનો કારક છે. આ અંકના જાતકો ખુબ જ પાવરફૂલ હોય છે. તેઓ કોઈપણ બોલ્ડ સ્ટેપ લેતા ડરતા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 8 અંક ધરાવે છે. તેથી જ પ્રધાનમંત્રી મોદી પણ નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઈક તેઓ કોઈપણ મોટો નિર્ણય લેતા સહેજ પણ ખચકાયા નથી. તમે જોયું હોય તો પીએમ મોદી હંમેશા તેમના હાથમાં કાળા રંગનો એક દોરો પણ પહેરી રાખે છે, આ દોરો પણ શનિદેવનો છે. 

8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ

જન્મની તારીખઃ
17 સપ્ટેમ્બર 1950માં ગુજરાતના વડનગર ખાતે જન્મેલા નરેન્દ્ર મોદીની જન્મ તારીખનો સરવાળો પણ 8 થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખ 17 છે. 1 અને 7 નો સરવાળો 8 થાય છે.

નામમાં 8:
અંગ્રેજીમાં Narendra નામમાં કુલ મૂળાક્ષર 8 થાય છે. જ્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી એમ આખું નામ પણ 8 અક્ષરોથી બને છે.

તત્કાલિન મતવિસ્તારનો પીનકોડઃ
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો વિધાનસભા મતવિસ્તાર મણીનગર હતો. મણીનગરનો પીક કોડ નંબર પણ 8 હતો.

તત્કાલિન મતવિસ્તારનો વિધાનસભા બેઠક ક્રમાંકઃ
મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તે અમદાવાદની મણીનગર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતાં. મણીનગરનો વિધાનસભા બેઠક ક્રમામ 53 હતો. જેમાં 5 અને 3 નો સરવાળો પણ 8 થાય છે. 

વિપરિત સંજોગોમાં 8 નો અંક હંમેશા રહ્યો મોદીની સાથેઃ (શપથવિધિની તારીખનો સરવાળો)
વર્ષે 2012ના ડિસેમ્બર 26 ના રોજ મોદીએ ચોથીવાર ગુજરાતના સીએમ તરીકે શપથ લીધાં હતાં. શપથવિધિ માટે પણ તેમણે આ તારીખ પસંદ કરી હતી. કારણકે, વિપરિત પરિસ્થિતિઓમાં તે સમયે પણ 8નો આંક તેમની સાથે હતો. 26નો આંકડો એટલે 2 + 6 = 8. આ રીતે વિપરિત સંજોગોમાં પણ તે સમયે મોદી ફરી એકવાર વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કરીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટણી આવ્યાં હતાં.

મોદી સીએમ હતા ત્યારે તેમના કોન્વોયમાં 8 નો દબદબોઃ
નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓના કોન્વોયમાં પણ 8 ના અંક નો દબદબો જોવા મળતો હતો. તે સમયે તેમની ઝેડ પ્લસ સિક્યુરીટીમાં કુલ 17 ગાડીઓનો કાફલો હતો. 1 અને 7 નો સરવાળો પણ 8 થાય છે. આ ઉપરાંત તેઓની સ્પેશિયલ કોન્વોય કે જેમાં તેઓ પોતે બેસતા હતા, તેવી સ્કોર્પિયો ગાડીઓની કોન્વોયમાં પણ 8 સિક્યુરિટી ગેજેટ્સથી સજ્જ ગાડીઓનો કાફલો હતો.

મોદીનો બંગલા નંબરઃ
નરેન્દ્ર મોદી જ્યારે ગાંધીનગરમાં મંત્રી નિવાસસ્થાનમાં રહેતા હતા તે સમયે મોદીજીના બંગલાનો નંબર 26 હતો. જેનો સરવાળો પણ 8 થાય છે.

સીએમ તરીકે તેમની આ 8 યોજનાઓ ખુબ સફળ રહીઃ
કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, માતૃવંદના, અમૃતમ મા કાર્ડ, શાળા પ્રવેશોત્સવ, બેટી બચાઓ-બેટી પઢાઓ, કર્મયોગી યોજના, જ્યોતિગ્રામ યોજના સહિત આ 8 યોજનાઓએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિશેષ નામના અપાવી.

મોદીના મહોત્સવમાં 8 નો જાદુઃ
નરેન્દ્ર મોદીએ મોટા ભાગે જે મહોત્સવનું આયોજન કર્યું તેનું નામ પણ 8 અક્ષરોનું જ હતું. ખાસ કરીને ગુજરાતમાં વાઈબ્રન્ટ નવરાત્રિ, કાંકરિયા કાર્નિવલ, વાઈબ્રન્ટ ગુજરાત, કાઈટ ફેસ્ટિવલ, કચ્છ રણોત્સવ સહિતના કાર્યક્રમોના નામો પણ 8 મૂળાઅક્ષરોના જ છે.

જ્યોતિષ શાસ્ત્રોમાં 8 નો અંકઃ
જ્યોતિષ શાસ્ત્રી ડો.જલ્પેશકુમાર મહેતા પણ જણાવે છેકે, 8 એ મૂળ શનિનો કારક છે. તેથી 8 નો અંક ધરાવતા જાતકો ખુબ દબંગ સ્વભાવના હોય છે. તેઓ કોઈના પર વિશેષ ભરોસો રાખતા નથી, તેઓ પોતે જ હંમેશા તમામ નિર્ણયો લેતા હોય છે. તેઓ કોઈપણ મોટો નિર્ણય લેતાં સહેજ પણ ખચકાતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news