કૃષિ બિલના સમર્થનમાં ઉત્તરાખંડના કિસાન, નરેન્દ્ર સિંહ તોમર સાથે કરી મુલાકાત


In Support of New Farm Laws : કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ઉત્તરાખંડના કિસાનોના પ્રતિનિધિમંડળનો કૃષિ કાયદાના સમર્થન માટે આભાર માન્યો છે. આ પહેલા હરિયાણાના કિસાનોએ પણ કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી કૃષિ કાયદાનું સમર્થન કર્યું હતું. 

કૃષિ બિલના સમર્થનમાં ઉત્તરાખંડના કિસાન, નરેન્દ્ર સિંહ તોમર સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ એક તરફ પ્રદર્શનકારી કિસાન ત્રણ નવા કાયદાની વિરુદ્ધ પોતાનું આંદોલન આક્રમક કરવાની રણનીતિ પર આગળ વધી રહ્યાં છે તો બીજીતરફ ઉત્તરાખંડના કિસાનોના એક પ્રતિનિધિમંડળે આ કાયદાનું સમર્થન કર્યું છે. આ પ્રતિનિધિમંડળે રવિવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી અને ત્રણ નવા કૃષિ કાયદાને કિસાનોના હિતમાં ગણાવી તેનું સમર્થન કર્યું છે. 

વિપક્ષી દળો પર ઉત્તરાખંડના કિસાનોનો હુમલો
કૃષિ મંત્રી સાથે વાતચીત દરમિયાન કિસાનોના પ્રતિનિધિમંડળે કિસાન આંદોલનની સાથે રહેલા વિપક્ષી દળોની તે કહીને આલોચના કરી કે તે આંદોલનની આડમાં પોતાની રાજકીય રોટલી સેકી રહ્યાં છે. ઉત્તરાખંડથી સિંધુ બોર્ડર પહોંચેલા કિસાન નેતા જસબીર સિંહે કહ્યુ કે, વિપક્ષી દળોના નેતા છેતરપિંડીમાં લાગી ગયા છે. 

केंद्रीय मंत्री ने कहा, "उनको (विपक्ष) विरोध करना है और देश को गुमराह करना है। उन्होंने धारा 370 को हटाने का भी विरोध किया था, राम मंदिर का भी और CAA का भी।" pic.twitter.com/qkCqlQqeNL

— ANI_HindiNews (@AHindinews) December 13, 2020

— ANI_HindiNews (@AHindinews) December 13, 2020

કૃષિ મંત્રીએ માન્યો આભાર
તો કૃષિ મંત્રીએ ઉત્તરાખંડના કિસાનોના પ્રતિનિધિમંડળનો કૃષિ કાયદાનું સમર્થન કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ કિસાનોએ કાયદાને યોગ્ય રીતે સમજ્યો છે. તોમરે કહ્યુ, આજે ઉત્તરાખંડના કિસાન મને મળ્યા અને કૃષિ કાયદા પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું છે. હું તે કિસાનોનો આભાર માનુ છું જેણે કાયદાને સમજ્યો, તેના પર પોતાની વાત રાખી અને સમર્થન વ્યક્ત કર્યું છે. 

હરિયાણાના કિસાનોએ પણ આપ્યું છે સમર્થન
ધ્યાનમાં રહે કે પહેલા હરિયાણાના કિસાનોના એક સમૂહે કૃષિ મંત્રીને મળીને કૃષિ કાયદાનું સમર્થન કર્યું હતું. કિસાનોએ કૃષિ મંત્રીને મળીને કહ્યું કે, ત્રણેય કાયદા કિસાનોના હિતમાં છે અને તેને પરત ન લેવા જોઈએ. તેમણે કહ્યું કે, સરકાર આંદોલનકારી કિસાનોની માંગ અનુસાર કાયદામાં સુધાર કરવા ઈચ્છે તો તેનું સ્વાગત છે, પરંતુ જો કાયદો રદ્દ કરવામાં આવ્યો તો તે તેની વિરુદ્ધ આંદોલન કરશે. 

ઉત્તરાખંડના મંત્રીએ કરી વિપક્ષની આલોચના
હકીકતમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો પર કિસાનોને ઉશકેરવાનો આરોપ લગાવતા ઉત્તરાખંડના શહેરી વિકાસ મંત્રી મદન કૌશિકે રવિવારે કહ્યુ કે, નવા કૃષિ કાયદાથી કિસાનોની આવકમાં મોટો વધારો થશે અને તે સશક્ત તથા આત્મનિર્ભર બનશે. એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા કૌશિકે કહ્યુ કે, આજે કૃષિ કાયદાનો વિરોધ કરનાર કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી પાર્ટીઓ 2014 પહેલા તેના પક્ષમાં હતી જે તેના  લોકસભા અને રાજ્યસભામાં આવેલા નિવેદનોથી સ્પષ્ટ છે. કૌશિકે કહ્યુ કે, કિસાનો પર પોતાના પાક વેચવાને લઈને વર્ષોથી લાગેલા પ્રતિબંધોને કૃષિ કાયદાના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીએ અન્નદાતાઓને અસલી આઝાદી આપી છે. તેમણે કહ્યું કે, પરંતુ દુર્ભાગ્યથી વિપક્ષી દળો દ્વારા આપણા મહેનતી કિસાનોને ઉશ્કેરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news