POK માં પાક.નું પોત પ્રકાશ્યું, આતંકવાદીઓના મહાગઠબંધનની તસ્વીરો સામે આવી..

આ આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં તમામ મોટા આતંકવાદી સંગઠનો જૈશ એ મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર એ તોયબાના આતંકવાદીઓ હાજર છે

POK માં પાક.નું પોત પ્રકાશ્યું, આતંકવાદીઓના મહાગઠબંધનની તસ્વીરો સામે આવી..

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 (Article 370) હટાવાયા બાદ પાકિસ્તાન (Pakistan) ગિન્નાયેલું છે. સમગ્ર વિશ્વમાં તે ભારતની છબી ધુંધળી કરવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. જો કે વિશ્વનાં કોઇ પણ દેશે જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનાં અસત્યનું સમર્થન આપવાનો ઇન્કાર કરી દીધો છે. યુદ્ધ અને પરમાણુ બોમ્બની ખોટી ધમકીઓ બાદ PoK માં પાકિસ્તાનને વધારે એક વરવો ચહેરો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં જમાત એ ઇસ્લામી દ્વારા લગાવાયેલા કેટલાક આતંકવાદી કેમ્પોની તસ્વીરો સામે આવી છે. આ તસ્વીરો પાકિસ્તાનનાં ઘુસણખોરીના કાવત્રાનું સત્ય સામે લાવી રહી છે.

ચિદમ્બરમને ઝટકો, કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલ મોકલાયા
લોકપ્રિય ધાર્મિક મંદિર પર હુમલાનું આતંકવાદીઓનું કાવત્રું
મળતી માહિતી અનુસાર જમાત એ ઇસ્લામી (Jamaat-e-Islami) એ પુછની નજીક રાવલકોટમાં આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ સ્થાપિત કર્યા છે. આ તમામ કેમ્પ રાવલકોટનાં તરનોતી અને પોથી બાલામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પીઓકેમાં રાવલકોટની તરફથી ઘુસણખોરીનું કાવત્રું રચી રહ્યા છે. આ કાવત્રા હેઠળ પાકિસ્તાને આ ટ્રેનિંગ કેમ્પ બનાવ્યા છે. મળતી માહિતી અનુસાર જમાત એ ઇસ્લામીના કમાન્ડર શમશેર ખાનને કાશ્મીરમાં હુમલાની જવાબદારી સોંપી છે. હિઝબુલ કમાન્ડર સમશેર ખાને ઘુસણખોરી માટેનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યો છે. અત્રેઉલ્લેખનીય છે કે, આતંકવાદી સંગઠનોને જમ્મુ કાશ્મીરનાં એક લોકપ્રિય ધાર્મિક મંદિરમાં હુમલા કરવાની અને રાજ્યમાં સુરક્ષા દળો પર હુમલાના પ્રયાસો કરવા માટે જણાવવામાં આવ્યું છે. 

રાષ્ટ્રીય સ્તરની સ્વિમરનું શારીરિક શોષણ, રમત મંત્રીની કડક કાર્યવાહી
આ આતંકવાદીઓનું મહાગઠબંધન છે.
જમાત એ ઇસ્લામી (Jamaat-e-Islami) આ તમામ આતંકવાદી કેમ્પોનું નેતૃત્વ કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં તમામ મોટા આતંકવાદી સંગઠો જૈશ એ મોહમ્મદ (Jaish e Muhammad), હિઝબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen) અને લશ્કર એ તોયબા (Lashkar e Tayyaba)ના આતંકવાદીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર આતંકવાદીઓનું આ મહાગઠબંધન ઓગષ્ટ 2019થી સક્રિય છે.

સરકારી કમાણી કરવા નહી પરંતુ નિયમોના પાલન માટે વધાર્યો છે દંડ: ગડકરી
ISIનું 10 હજાર નવા આતંકવાદીઓની ભરતનીનું લક્ષ્યાંક
મળતી માહિતી અનુસાર આ તમામ આતંકવાદી કેમ્પોને હિજબુલ કમાન્ડર સમશેર ખાન લીડ કરી રહ્યો છે. સમશેર ખાનને જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીની જવાબદારી સોંપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર PoK માં 10 હજાર નવા આતંકવાદીઓના રિક્રુટમેન્ટનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news