દિલ્હી: PM મોદીની 22 ડિસેમ્બરના રોજ રામલીલા મેદાનમાં રેલી, આતંકી હુમલાનું જોખમ 

પાકિસ્તાનના આતંકી સંગઠનોએ પીએમ મોદી ઉપરાંત અન્ય મોટા નેતાઓ વિરુદ્ધ પણ હુમલાનું ષડયંત્ર રચ્યું છે. ગુપ્તચર સૂત્રોએ સરહદપાર સંલગ્ન મેસેજને જે ઈન્ટરસેપ્ટ કર્યા છે, જે મુજબ જૈશ એ મોહમ્મદ (JeM) આ પ્રકારે કાવતરું રચી રહ્યું છે. 

દિલ્હી: PM મોદીની 22 ડિસેમ્બરના રોજ રામલીલા મેદાનમાં રેલી, આતંકી હુમલાનું જોખમ 

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વિરુદ્ધ ષડયંત્રનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુપ્તચર એજન્સીઓ સંલગ્ન સૂત્રોના જણાવ્યાં મુજબ 22 ડિસેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં પીએમ મોદીની રેલી થવાની છે. જેમાં પાકિસ્તાન (Pakistan) સ્થિત આતંકી સંગઠનોએ હુમલા (Terror Attack) નું ષડયંત્ર રચ્યું છે. 

સૂત્રોનું એમ પણ કહેવું છે કે પાકિસ્તાનના આતંકી સંગઠનોએ પીએમ મોદી ઉપરાંત અન્ય મોટા નેતાઓ વિરુદ્ધ પણ હુમલાનું ષડયંત્ર રચ્યું છે. ગુપ્તચર સૂત્રોએ સરહદપાર સંલગ્ન મેસેજને જે ઈન્ટરસેપ્ટ કર્યા છે, જે મુજબ જૈશ એ મોહમ્મદ (JeM) આ પ્રકારે કાવતરું રચી રહ્યું છે. 

જુઓ LIVE TV

પીએમ મોદી દિલ્હીમાં અનિયમિત કોલોનીઓને નિયમિત કર્યા બાદ સરકારના નિર્ણય અંગે જનતાને સંબોધશે. આતંકી ષડયંત્રની આશંકાના પગલે ગુપ્તચર બ્યુરોએ એસપીજી અને દિલ્હી  પોલીસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવાનું કહ્યું છે. આઈબીએ સુરક્ષા એજન્સીઓને  Blue Bookની જેમ ચુસ્ત સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કહ્યું છે.  Blue Book માં વડાપ્રધાનની મુસાફરીઓ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ઈન્તેજામ અંગે વ્યવસ્થા સૂચવેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news