નદીગ્રામમાં મમતા બેનર્જી પર હુમલો, ભાજપે કહ્યું- CBI તપાસ કરાવે ચૂંટણી પંચ

Mamata Banerjee Injured News:પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે હોટ સીટ નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમના પગમાં ઈજા થઈ છે. મમતા બેનર્જીએ ઇરાદાપૂર્વક પોતાના પર હુમલાનો આરોપ લગાવ્યો છે. 

નદીગ્રામમાં મમતા બેનર્જી પર હુમલો, ભાજપે કહ્યું- CBI તપાસ કરાવે ચૂંટણી પંચ

નંદીગ્રામઃ પશ્ચિમ બંગાળ (West Bengal Assembly elections) માં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. પરંતુ આ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) દુર્ઘટનાના શિકાર થયા છે અને તેમને પગમાં ઈજા થઈ છે. મમતા તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે, તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. હાલમાં સમાચાર છે કે મમતાને કોલકત્તા લઈ જવામાં આવી રહ્યાં છે. પરંતુ કહેવામાં આવ્યું કે, તે કોલકત્તા જશે નહીં.

મમતા બેનર્જીએ નંદીગ્રામમાં પોતાના પર હુમલાનો આરોપ લગાવ્યો છે. મમતાએ આરોપ લગાવતા કહ્યું, નંદીગ્રામમાં મારા પર હુમલો કરવામાં આવ્યો. મારા પગમાં ઈજા થી છે. મારા પગને ગાડીથી કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કહી રહ્યાં હતા કે તે કોલકત્તા જઈ રહ્યાં છે. 

— ANI (@ANI) March 10, 2021

ટીએમસી પ્રમુખ તરફથી કહેવામાં આવ્યું કે, આ મામલા વિરુદ્ધ તે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. મમતા ઈજાગ્રસ્ત થતા તેમના ચૂંટણી અભિયાન પર અસર પડી છે અને ઘણા કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કારનો દરવાજો ખોલતા કેટલાક લોકોએ મમતા સાથે ગેરવર્તન કર્યું હતું. 

મમતા ઈજાગ્રસ્ત થતાં ભાજપે પોલીસ અને તંત્ર પર હુમલો કર્યો છે. ભાજપે કહ્યું કે, પોલીસ-પ્રશાસન શું કરી રહ્યું છે. સીએમની સુરક્ષામાં તૈનાત લોકો શું કરી રહ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news