Vastu Tips: આ વસ્તુની માત્ર એક ચપટી દૂર કરી દેશે તમારા ઘરના અનેક દુઃખ, બદલાઈ જશે તમારું જીવન

મીઠું તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે. જેથી સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિ મળે છે. પૈસાની સમસ્યા અને માનસિક તણાવ પણ દૂર થાય છે. ઘરના દરેક સભ્યો વચ્ચે પરસ્પર વાતાવરમ સારૂં રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનું છે ઘણું મહત્વ.

Vastu Tips: આ વસ્તુની માત્ર એક ચપટી દૂર કરી દેશે તમારા ઘરના અનેક દુઃખ, બદલાઈ જશે તમારું જીવન

ઝી બ્યૂરો, અમદાવાદઃ મીઠું તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે. જેથી સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિ મળે છે. પૈસાની સમસ્યા અને માનસિક તણાવ પણ દૂર થાય છે. ઘરના દરેક સભ્યો વચ્ચે પરસ્પર વાતાવરમ સારૂં રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનું છે ઘણું મહત્વ.

વાસ્તુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ મીઠું ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં અને સકારાત્મક ઉર્જા વધારવામાં મદદ કરે છે. મીઠું વિના આપણે આપણા ખોરાકનો સ્વાદ કલ્પના પણ કરી શકતા નથી. મીઠાના કોઈ પણ ભોજન સ્વાદિષ્ટ બની શકતું નથી. એક ચપટી મીઠું ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.

વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનું મહત્વઃ
ઘરમાં હકારાત્મક ઉર્જાના વાતાવરણને રાખવા નકારાત્મકતા દૂર કરવા અને પરિવારના સભ્યોમાં વિપત્તિ અને ઝઘડા ન થાય જ્યારે પણ તમે ઘરમાં સાફ કરો છો ત્યારે પાણીમાં એક ચપટી મીઠું નાખો. મીઠાના પાણીથી ઘરમાં લૂછવું સકારાત્મક એનર્જી લાવે છે જે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધને સુધારે છે.

કયા વાસણમાં તમે મીઠું રાખો છો તેનું પણ છે ઘણું મહત્વઃ
તેની પણ વાસ્તુ પર ઘણી અસર પડે છે. તેથી, મીઠું ક્યારેય સ્ટીલ અથવા લોખંડના વાસણોમાં સંગ્રહિત થવું જોઈએ નહીં. મીઠાને હંમેશાં ગ્લાસ જાર અથવા બરણીમાં રાખો. આ કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે અને આર્થિક સમસ્યાઓમાં ઘટાડો થશે. જો તમે ઇચ્છતા હોવ તો તમે મીઠુંના જારમાં 1 લવિંગ પણ મૂકી શકો છો.

રાહુની નકારાત્મક ઉર્જાને મીઠું કરી શકશે દૂર:
ઘણી વખત રાહુની નકારાત્મક ઉર્જા પણ ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવાહનું કારણ બને છે. જેના કારણે પરિવારના સભ્યો બિમાર રહેવાનું શરૂ કરે છે. આનો સામનો કરવા માટે તમારે કાચની વાટકીમાં ખારું મીઠું નાખીને ભરીને બાથરૂમમાં રાખવું જોઈએ. દર 15 દિવસમાં 1 વખત આ મીઠું બદલો. આ કરવાથી તે રાહુના નકારાત્મક પ્રભાવોને દૂર કરવામાં મદદ કરે છે.

મીઠાથી માનસિક શાંતિ મળી રહે છે:
જો તમને માનસિક શાંતિ ન મળી રહી હોય અથવા કોઈ કારણસર તણાવ અને ખૂબ વધી ગયા છે. જો તમને કામ કરવાનું  આવે તો મીઠું પણ તમને આમાં મદદ કરી શકે છે. આ માટે તમારે નાહ્વવાનું પાણીમાં એક ચપટી મીઠું નાખીવાનું રહેશે. જો તમે ઇચ્છો તો રાત્રે સૂતા પહેલા તમે મીઠાના પાણીથી હાથ-પગ ધોઈ શકો છો. આ કરવાથી તણાવ દૂર થાય છે. તેના પછી તમને ઉંઘ પણ સારી આવે છે.

(નોંધઃ- આ આર્ટીંકલ જનરલ માહિતી પર આધારિત છે, ZEE 24 કલાક આ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news