ડિવોર્સ News

લાલુના દિકરાને કોઈપણ ભોગે લેવા છે ડિવોર્સ
RJD ચીફ લાલુ પ્રસાદના દીકરા અને MLA તેજ પ્રતાપ યાદવ છેલ્લા કેટલાક દિવસથી નિષ્ફળ લગ્નજીવનને કારણે ચર્ચામાં છે. હાલમાં તેણે નિવેદન આપ્યું છે કે તે હરદ્વાર છે અને જ્યાં સુધી તેનો પરિવાર તેના ડિવોર્સના નિર્ણયને ટેકો નહીં આપે તે ઘરે પરત નહીં ફરે. તેજ પ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન છ મહિના પહેલાં થયા હતા અને હવે તેજ પ્રતાપે આ લગ્નના અંતનો નિર્ણય લઈ લીધો છે. પોતાની વ્યથા વ્યક્ત કરતા તેજ પ્રતાપે કહ્યું છે કે ''મારા અને ઐશ્વર્યા વચ્ચે ઉકેલી ન શકાય એવા મતભેદ છે. મેં લગ્ન પહેલાં પણ મારા માતા-પિતાને આ વાત કહી હતી પણ કોઇએ મારી વાત સાંભળી નહોતી. તેઓ આજે પણ મારી વાત નથી સાંભળી રહ્યા. આ સંજોગોમાં હું ઘરે પાછો કઈ રીતે આવું?''
Nov 10,2018, 11:20 AM IST

Trending news