પાકિસ્તાનના 'ખાસ મિત્ર દેશ'માં જ મુસ્લિમો પર અત્યાચાર, અનેક મસ્જિદો તોડી, રમજાન સાવ ફિક્કો 

ચીનના અશાંત શિનજિયાંગ વિસ્તારમાં હેયિતકા મસ્જિદની આજુ બાજુ એક સમયે રોનકનો માહોલ જોવા મળતો હતો. પરંતુ ઊંચી ગુંબજવાળી ઈમારતનું નામોનિશાન મિટાવી દીધા બાદ હવે આ જગ્યા સાવ ઉજ્જડ થઈ ગઈ છે. 

પાકિસ્તાનના 'ખાસ મિત્ર દેશ'માં જ મુસ્લિમો પર અત્યાચાર, અનેક મસ્જિદો તોડી, રમજાન સાવ ફિક્કો 

હોતન (ચીન): ચીનના અશાંત શિનજિયાંગ વિસ્તારમાં હેયિતકા મસ્જિદની આજુ બાજુ એક સમયે રોનકનો માહોલ જોવા મળતો હતો. પરંતુ ઊંચી ગુંબજવાળી ઈમારતનું નામોનિશાન મિટાવી દીધા બાદ હવે આ જગ્યા સાવ ઉજ્જડ થઈ ગઈ છે. દુનિયાભના મુસલમાન ખુશી અને ઉત્સાહ સાથે ઈદની ઉજવણી કરી રહ્યાં છે પરંતુ વર્તમાન સમયમાં શિનજિયાંગમાં ડઝન જેટલી મસ્જિદો તોડી પાડવાના કારણે ઉઈગર અને અન્ય અલ્પસંખ્યક વસ્તી સુરક્ષાકર્મીઓની મોટી સંખ્યામાં હાજરીના કારણે આ વિસ્તારમાં દબાણનો સામનો કરી રહી છે. રમજાન મહિનો પણ સાવ ફિક્કો ગયો. હોતન શહેરમાં આ જગ્યાની પાછળ એક પ્રાથમિક શાળાની દીવાલ પર લાલ રંગના અક્ષરોમાં લખેલું છે કે 'પાર્ટી માટે લોકોને ભણાવો'. અને આ શાળામાં પ્રવેશ અગાઉ વિદ્યાર્થીઓએ પોતાનો ચહેરો સ્કેન કરાવવો પડે છે. 

પાસેના બજારના એક દુકાનદારે કહ્યું કે મસ્જિદની બનાવટ શાનદાર હતી. ત્યાં અનેક લોકો રહેતા હતાં. ઉપગ્રહથી મળેલી તથા અન્ય તસવીરો જોતા માલુમ પડે છે કે 2017 બાદથી 36 મસ્જિદો અને ધાર્મિક સ્થળોને તોડી પડાયા છે. જે મસ્જિદો ખુલ્લી છે ત્યાં જવા માટે શ્રદ્ધાળુઓએ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થઈને જવું પડે છે અને સર્વિલાંસ કેમેરા સતત તેમના પર નિગરાણી રાખે છે. દમનના ડરથી ઓળખ ઉજાગર નહીં કરવાની ભલામણ કરતા ઉઈગર મુસલમાને કહ્યું કે અહીં હાલાત ખુબ જ કડક છે. હ્રદય પથ્થર કરીને રહેવું પડે છે. 

બુધવારે ઈદ મનાવનારા મુસલમાનો એકદમ ચૂપચાપ ઈદગાહ મસ્જિદ પહોંચ્યા
બુધવારે ઈદ ઉજવનારા મુસલમાનો ખુબ જ ખામોશીથી ઈદગાહ મસ્જિદ પહોંચ્યાં. આ મસ્જિદને પ્રશાસને મંજૂરી આપી રાખી છે અને તે ચીનની સૌથી મોટી મસ્જિદોમાંથી એક છે. આસપાસના રસ્તા, ઈમારતો પર સાદા વેષમાં સુરક્ષાકર્મીઓ આવતા જતા લોકો પર નજર રાખી રહ્યાં હતાં. શિનજિયાંગમાં મુસ્લિમો માટે આ વખતે રમજાનમાં કોઈ રોનક નહતી. 

જુઓ LIVE TV

જ્યારે મુસલમાનો રોજા રાખતા હતાં, રેસ્ટોરામાં ઉમટેલી ભીડને આખો દિવસ ભોજન પીરસાતું હતું. શુક્રવારે હોતનમાં સૂર્યાસ્ત બાદ પણ આ એકમાત્ર મસ્જિદ હતી. પહેલા દિવસે લગભગ 100 જેટલા લોકો નમાજ પઢવા આવ્યાં હતાં. પરંતુ જેમાં મોટા ભાગના વૃદ્ધ મુસલમાનો હતો. ચીનના લા ત્રોબે વિશ્ચવિદ્યાલયમાં જાતીય મુસલમાન અને નીતિના વિશેષજ્ઞ જેમ્સ લીબોલ્ડે કહ્યું કે સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ધર્મનો જોખમ માને છે. 

લાંબા સમયથી ચીન સરકાર ચીની સમાજને ધર્મનિરપેક્ષ બનાવવા માંગે છે. શિનજિયાંગ સરકારે કહ્યું કે તે ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા કરે છે અને નાગરિકો કાયદાની સીમાના દાયરામાં રહીને રમજાન મનાવી શકે છે. ઘાતક હુમલાની આશંકાને ધ્યાનમાં રાખતા સરકારે સમગ્ર વિસ્તારમાં કેમેરા લગાવી રાખ્યા છે. મોબાઈલ પોલીસ ચોકી અને ઠેર ઠેર તપાસ ચોકી બનાવવામાં આવી છે. 

દસ લાખ ઉઈગર મુસલમાનો અને  તુર્કી ભાષી લોકોને અસ્થાયી શિબિરોમાં રખાયા છે
એક અંદાજ મુજબ દસ લાખ ઉઈગર મુસલમાનો અને તુર્કી ભાષી લોકોને અસ્થાયી શિબિરોમાં રખાયા છે. શરૂઆતમાં તેમની હાજરીનો ઈન્કાર કરતા ચીની પ્રશાસને ગત વર્ષે માન્યું કે તેઓ વ્યવસાયિક શિક્ષા કેન્દ્ર ચલાવી રહ્યાં છે, જેનો હેતુ છે કે લોકો મંદારિન અને ચીની કાયદાથી વાકેફ થઈને ધાર્મિક ચરમપંથનો રસ્તો છોડી દે. 

આ કેન્દ્રોમાં રમજાનને લઈને કોઈ ઉત્સાહ નહતો. શિનજિયાંગ સરકારે કહ્યું કે લોકોને ધાર્મિક ગતિવિધિની મંજૂરી અપાઈ નથી કારણ કે ચીની કાયદો શૈક્ષણિક કેન્દ્રોમાં તેના પર રોક  લગાવે છે, પરંતુ સપ્તાહના અંતમાં વાપસી પર તેમને આમ કરવાની મંજૂરી હશે. 

(અહેવાલ સાભાર-ભાષા)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news