ગુજરાતના 229 તાલુકામાં ભરશિયાળે ચોમાસું બેઠું; જાણો સૌથી વધુ ક્યાં પડ્યો, જાણો વરસાદી આંકડા

ગુજરાતના 229 તાલુકામાં કમોસમી વરસાદથી ભરશિયાળે બેઠું ચોમાસું બેઠું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમરેલી જિલ્લામાં વરસાદે ઘણુ નુકસાન કર્યું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ ખેડૂતોની મુશ્કેલી વધારી છે.  

ગુજરાતના 229 તાલુકામાં ભરશિયાળે ચોમાસું બેઠું; જાણો સૌથી વધુ ક્યાં પડ્યો, જાણો વરસાદી આંકડા

Gujarat Rain: ગુજરાતભરમાં આજે સવારથી ચાલું થયેલા વરસાદે વેર વિખેર કરી નાંખ્યું છે. રાજ્યમાં આજે વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં 229 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતના 229 તાલુકામાં કમોસમી વરસાદથી ભરશિયાળે બેઠું ચોમાસું બેઠું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમરેલી જિલ્લામાં વરસાદે ઘણુ નુકસાન કર્યું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ ખેડૂતોની મુશ્કેલી વધારી છે.  

આજે પડેલા વરસાદની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે સુરતમાં પોણા ચાર ઈંચ, રાધનપુર અને ભાભરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. પાટણના રાધનપુરમાં પણ પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં છે. રાજ્યના 229 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના 30 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.  લોધિકા, તાલાલામાં 2 ઈંચ વરસાદ અને અંકલેશ્વર, વંથલીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.   

વીજળી પડવાથી 17 લોકોના મોત
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. જેથી 17 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓના પણ મોત થયાં હતા. તેમજ વીજળી પડવાથી કેટલીક જગ્યાએ આગ પણ લાગી છે. મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા તેમજ ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદ, બાવળા અને વિરમગામમાં પણ વીજળી પડવાથી મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. બીજી બાજુ ભારે પવનના કારણે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રીક્ષા ચાલકનું મોત થયું છે. વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં  1-1 માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે. 

રવિ પાકમાં ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંનું વાવેતર
સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતોને ગત ચોમાસામાં અનિયમિત વરસાદેને કારણે મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. આ નુકશાનીનું શિયાળું પાકમાં વળતર મળી જશે તે આશાએ મોટા ભાગના ખેડૂતોએ રવિ પાકમાં ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંનું વાવેતર કરેલ હતું. અને આ શિયાળું પાકમાં બિયારણ, ખાતર, દવાઓ અને વાવેતરની મજૂરો મજૂરી સહિતનો ખર્ચો કર્યા બાદ સારા પાકની આશા હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા કમોષ્મી વરસાદની આગાહી કરતા ખેડૂતોના પેટમાં ફાળ પડી અને હવે નુકશાની આવશે તો કમર જ ભાંગી જશે તેવો વલોપાત હતો. 

સારા પાકની આશા પર પાણી ફરી વાળવાની સંભાવના
પરંતુ કુદરત સામે કોઈનું ન ચાલે તેમ આજે વહેલી સવારથી કડાકા ભડાકા સાથે કમોષ્મી વરસાદ શરૂ થયો અને આ વરસાદ જાણે ચોમાસુ હોય તેવો પડતા ખેડૂતોના પાક પર પાણી ફરી વાળવાની ખેડૂતો ને દહેશત છે સાથે શિયાળું પાક ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંમાં મોટી નુકશાની સાથે કપાસનો ઉભો પાક પર પણ પાણી ફરી વળવા સાથે નુકશાની વેઠવાનો વારો આવવાની શક્યતા છે, ખેડૂતોને ચોમાસા બાદ શિયાળામાં પણ સારા પાકની આશા પર પાણી ફરી વાળવાની સંભાવના છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news