કયામતની ઘડી આવી ગઈ : દરિયામાં વાવાઝોડાની સ્પીડ વધી, વધુ 20 કિમી નજીક આવ્યું

Gujarat Weather Forecast : દર કલાકે 8 કિલોમીટર નજીક આવી રહી છે બિપરજોય નામની આફત...ગુજરાતના દરિયાકિનારાથી હાલ 140 કિલોમીટર દૂર છે વાવાઝોડું...ગુજરાત માટે આજનો દિવસ સૌથી ભારે

કયામતની ઘડી આવી ગઈ : દરિયામાં વાવાઝોડાની સ્પીડ વધી, વધુ 20 કિમી નજીક આવ્યું

Gujarat Cyclone Alert : આજે કયામતનો દિવસ આવી ગયો છે. મહાઆફતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેના કારણે સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. અરબી સમુદ્રના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ધરાવતું ચક્રવાત બિપોરજોય હવે ગુજરાતની વધુ નજીક આવી રહ્યું છે. હવે ચક્રવાત બિપોરજોય ગુજરાતના જખૌ બંદરથી માત્ર 120 કિમી દૂર છે. જેમ વાવાઝોડું દરિયા કાંઠાની નજીક આવી રહ્યું છે, તેમ તે ફટાફટ અંતર કાપી રહ્યું છે. કલાક પહેલા જ વાવાઝોડું જખૌથી 140 કિમી દૂર હતું. અને હવે કલાક બાદ 20 કિમી આગળ વટાવી ગયું છે. 

વાવાઝોડું ગુજરાત કોસ્ટથી વધુ નજીક પહોંચ્યું છે. બિપોરજોય 8 km ની ઝડપે ગુજરાતના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું ગુજરાતના અલગ અલગ દરિયા કાંઠેથી કેટલે દૂર છે તે જુઓ

  • વાવાઝોડું જખૌ પોર્ટથી 120 કિમી દૂર
  • વાવાઝોડું કચ્છના નલિયાથી 170 કિમી દૂર
  • વાવાઝોડું દ્વારકાથી 150 કિમી દૂર
  • સૌરાષ્ટ્રના પોરબંદરથી 260 કિમી દૂર
  • પાકિસ્તાનના કરાચીથી 240 કિમી દૂર

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાતની ચેતવણી છે. રેડ એલર્ટ જાહેર કરાયં છે. આજે 1330IST પર અક્ષાંશ 22.8N અને લાંબો 67.3E જાળ બંદર (ગુજરાત) ના 120 કિમી WSW અને દેવભૂમિ દ્વારકાના 170 કિમી WNW નજીક છે. VSCS તરીકે આજની રાત સુધીમાં જખૌ બંદર (ગુજરાત) નજીક ક્રોસ કરશે. તો હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ વાવાઝોડું દરિયાકાંઠે ક્યારે પહોંચશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, સાંજના સમય દરમિયાનના કલાકો, સાંજના કલાકો એટલે કે 8 વાગ્યા.. 8.30 વાગ્યાની આગળ 2 કલાક પણ જઈ શકે છે.' 

વાવાઝોડું નજીક આવતા જ દ્વારકાના નાવદરા ગામે દરિયાનું રૌદ્રરૂપ દેખાયું છે. દરિયામાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. 60 થી 70 KMPHની ગતિએ પવન ફૂંકાયો છે. 

19 NDRF અને 12 SDRF ટીમો તહેનાત

ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમો તહેનાત કરવામાં આવી છે. આ સાથે જ દરિયાકાંઠાના 10 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, સુરત)માં 12 SDRF ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે અને 1 SDRF ટુકડીને રિઝર્વ રાખવામાં આવી છે. 

વાવાઝોડું, વરસાદ અને પવનના જોરને ધ્યાનમાં રાખીને પૂર્વતૈયારીરૂપે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા 4317 હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા છે, જેથી જાનમાલની હાનિને ટાળી શકાય. આ ઉપરાંત, આ 8 જિલ્લાઓમાં 21,595 હોડીઓને જનતાની મદદ માટે તૈયાર રાખવામાં આવી છે. 

BSF પણ મદદે આવી 

ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ, જે ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે ઓળખાય છે, તે 15મી જૂનની સાંજ સુધીમાં જખાઉ બંદર નજીક આવવાની ધારણા છે. દરિયાકાંઠે તૈનાત બીએસએફએ આ કટોકટી દરમિયાન સરહદી વિસ્તારના ગ્રામીણો સુધી મદદનો હાથ લંબાવવા માટે તેમના પ્રયાસો એકત્ર કર્યા છે. BSF ની અતૂટ પ્રતિબદ્ધતાનો ઉદ્દેશ્ય મૂલ્યવાન જીવનની સુરક્ષા, વેદનાને ઘટાડવા, માનવીય ગૌરવ જાળવવા અને સરહદી વસ્તીમાં સુરક્ષાની ભાવના જગાડવાનો છે.

બીએસએફના માનવતાવાદી કૃત્યોમાંના એકમાં, આ જોખમી સમયમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરીને, સંવેદનશીલ ગ્રામવાસીઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે. ઠુમરી અને વાલાવરીવાંડ ગામના 150 ગ્રામવાસીઓએ બીએસએફ કેમ્પમાં આશરો લીધો છે. BSF ટુકડીઓએ તમામ જરૂરી ગોઠવણો કરી છે, ગ્રામજનોને તેમની સુવિધામાં સમાવીને તેમની સુખાકારી સુનિશ્ચિત કરી છે. આશ્રય મેળવનારાઓમાં, 34 બાળકો તેમજ વરિષ્ઠ નાગરિકો, પુરૂષો અને સ્ત્રીઓ છે. BSF ખંતપૂર્વક પીવાનું પાણી, ખોરાક, તબીબી કવરેજ અને સ્વચ્છતા અને સ્વચ્છતાના ધોરણો જાળવવા જેવી આવશ્યક સહાય પૂરી પાડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news