લગ્નની તારીખ નક્કી થયા બાદ સગાઈ તૂટતા યુવતીનો આપઘાત, રડાવી દે તેવી સ્યૂસાઈડ નોટ છોડી

Crime News Gujarat : લગ્નની તારીખ નક્કી થયા બાદ યુવક પક્ષ દ્વારા લગ્નની ના પાડી દેવાતા યુવતીએ જિંદગી ટૂંકાવી, યુવતી પાસેથી બે પાનાની સુસાઈડ નોટ મળી આવી

લગ્નની તારીખ નક્કી થયા બાદ સગાઈ તૂટતા યુવતીનો આપઘાત, રડાવી દે તેવી સ્યૂસાઈડ નોટ છોડી

Junagadh News : જૂનાગઢના કેશોદમાં 24 વર્ષીય યુવતીએ સગાઈ તૂટી જતા આપઘાત કર્યો છે. યુવતીએ આપઘાત પહેલા બે પાનાંની સ્યૂસાઈડ નોટ લખીને સાસરી પક્ષના લોકો પર આક્ષેપ મૂક્યો છે. સગાઈ તોડી નાંખવાના આઘાતથી યુવતી દુખી હતી. હાલ પોલીસે સ્યૂસાઈટ નોટ પરથી વધુ તપાસ હાથ ધરી છે. 

સગાઈ તૂટતા મોત વ્હાલું કર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાની કેશોદ તાલુકાના ટીટોળી ગામમાં રહેતી રહેતી 24 વર્ષીય અસ્મિતા સોંદરવાના લગ્ન સાહિલ રાઠોડ નામના યુવક સાથે નક્કી થયા હતા. થોડા સમય પહેલા જ બંનેની સગાઈ થઈ હતી, અને બંનેના પરિવારજનો દ્વારા લગ્નની તારીખ પણ નક્કી કરાઈ હતી. પરંતું કોઈક કારણોસર લાગી આવતા રાહુલના ઘરના લોકોએ લગ્ન માટે ના પાડી હતી. સાસરીવાળાએ લગ્ન માટે ના પાડી દેતા અસ્મિતાને લાગી આવ્યુ હતું. તેથી તેણે બે પાનાનની સ્યૂસાઈટ નોટ છોડીને મોત વ્હાલું કર્યું હતું. 

suicide_zee1.jpg

અસ્મિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. અસ્મિતાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતું તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ કેશોદ પોલીસે આ ઘટનામાં તપાસ શરૂ કરી છે. 

suicide_zee.jpg

અસ્મિતાના અંતિમ શબ્દો 
હું અસ્મિતા આ બધું મારા હાથે લખું છું. અત્યાર સુધીમાં એને મને બધું ખોટું જ કીધું છે. હું તેનું બધું સાચું માનતી હતી. એણે મને બધું ખોટું બોલીને ભોળવી હતી. અત્યાર સુધી એને મને જેમ કીધું એમ મેં કર્યું. મેં મારાં મમ્મી-પપ્પાનું ન માન્યું અને એની વાત પર વિશ્વાસ કર્યો અને એણે મારા પર વિશ્વાસઘાત કર્યો. મારાં મમ્મી-પપ્પાનો કોઈ પણ વાંક નથી. બધું જ બરાબર હતું. તે બધા અમારા ઘરે આવીને લગ્નની તારીખ લઈ ગયા અને તારીખ પણ આપી દીધી હતી. મારાં મમ્મી-પપ્પાને મેં જેમ કીધું એમ મારાં મમ્મી-પપ્પાએ કર્યું. તારીખ લેવા આવ્યા ત્યારે પાંચ તોલા સોનાની વાત નક્કી કરી હતી અને હવે એ લોકો ફરી ગયા. પહેલાં સાહિલે મને કહેલું કે સોનું કરાવી આપીશ. તેની આ વાત સાચી માની પણ હવે ઈ વાત માનતો નથી. એનાથી સોનું બનતું નહોતું એટલે એ આવ્યા. તેમાં સાહિલની બે બહેનો નીતા અને શીતલ, શીતલનો ઘરવાળો વિશાલ, પછી સાહિલના પપ્પા, તેના કાકા અને તે પોતે હતા. પછી વાત કાંઈ કરી નહીં અને બાઝવાનું શરૂ કર્યા પછી જેમ મન ફાવે એમ ગાળો કાઢવા લાગ્યા એટલે આખું ગામ ભેગું થઈ ગયું. પછી ધમકીઓ આપી એમાં એની બહેનોએ એમ કહ્યું કે, જાન તો આજે પણ નહીં આવે અને કાલે પણ નહીં આવે અને તેના કાકાએ એમ ધમકી મારી કે, તમને બધાને મરાવીને તમારી ઘરે તાળા મરાવી દઈશ. જો હું તાળા ન મરાવું તો મારા બાપમાં ફેર. એની બહેનો એમ કહેતી હતી કે, અમારું બધું આપી દે, અમારે તું નથી જોઈતી. હું આ લગ્ન મારી મરજીથી કરતી હતી. આમાં મારાં મમ્મી-પપ્પાનો કોઈ પણ જાતનો વાંક નથી. મેં તેને સમજાવવાની બહુ ટ્રાય કરી પણ તે કઈ સમજવા તૈયાર નથી. તેથી હું આવું પગલું ભરું છું.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news