આશાબેન પટેલના રાજીનામાં બાદ વધુ બે ધારાસભ્યો છોડી શકે છે કોંગ્રેસનો સાથ!

લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટી વેરવિખેર થઇ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યા બાદ હવે કચ્છના રાપર અને અબડાસા બેઠકના બે ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ શકે છે.

આશાબેન પટેલના રાજીનામાં બાદ વધુ બે ધારાસભ્યો છોડી શકે છે કોંગ્રેસનો સાથ!

અમદાવાદ: ઊંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ વધુ બે ઝટકા લાગી શકે છે. મળતી પ્રાપ્ત મહિતી અનુસાર કોંગ્રેસના વધુ બે કચ્છના ધારાસભ્યો પણ પાર્ટી છોડી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટી વેરવિખેર થઇ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યા બાદ હવે કચ્છના રાપર અને અબડાસા બેઠકના બે ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ શકે છે. ત્યારે એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી સામે નારાજ દેખાઇ રહ્યાં છે. કોંગ્રેસ ધારાસભ્યોમાં દેખાતી નારાજગીની લઇને ગુજરાતનું રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસના વધુ બે કચ્છના ધારાસભ્યો પણ પાર્ટી છોડી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટી વેરવિખેર થઇ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે અબડાસા બેઠક પરના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજાએ આ વાતને ખોટી ગણવતા કહ્યું કે અમારે પાર્ટી સામે કોઇ નારાજગી નથી અને અમે પાર્ટી છોડવાના નથી.

ઊંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસ પાર્ટી સામે નારાજગી અને આંતરિક વિખવાદને કારણે ધારાસભ્ય ડો. આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે. જેને લઇને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. પાર્ટીમાં સતત અવગણના કરવામાં આવતી હોવાથી તેઓ પાર્ટીથી નારાજ હતા. તો આ સાથે જ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ક્રિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગ પણ હતો. આગામી સમયમાં AMPCની અને લોકસભા ચૂંટણીને નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે ડો. આશાબેન પટેલે તેમની સ્વેચ્છાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.

તો આ અગાઉ, કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાની વાતને કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે, ડો. આશાબેન પટેલ પાર્ટી છોડીને ક્યાંય જવાના નથી. તેઓ રાજીનામું પણ આપવાના નથી. આ સિવાય સી.જે.ચાવડાએ મોટો વિસ્ફોટ કરતા જણાવ્યું કે, અમારા સંપર્કમાં પણ ભાજપના કેટલાક ધારાસભ્યો છે. જોકે રાજીનામાની વાતથી ડેમેજ કંટ્રોલ માટે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય સી.જે. ચાવડા આશાબેન પટેલના એમ.એલ.એ ક્વાર્ટર સ્થિત નિવાસસ્થાને દોડી ગયા હતા. કોંગ્રેસ દ્વારા આશાબેન પટેલનો સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. જોકે આશાબેન પટેલનો ફોન સ્વિચ ઓફ કરીને બેઠા હોવાથી કોંગ્રેસ સંપર્ક કરી શકતી નથી.

ઉલ્લેખનીય છે કે, ઊંઝા એપીએમસીની આગામી એપ્રિમલ માસમાં ચૂંટણી યોજનારા છે. જેથી બંને પાર્ટીઓ હાલ ચૂંટણીને લઇ સતર્ક થઇ ગયા છે. મહત્વનું એ છે કે 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આશાબેનને ટિકિટ આપી હતી. તેઓ ભાજપના નારાયણભાઇ પટેલને હરાવી ધારસભ્ય બન્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news