મોડાસા હાઇવે પર નવસારીના જૈન પરિવારનો અકસ્માત, એકનું મોત

મોડાસા પાસે હાઇવે પર નીલ ગાય સામે આવી જતા કાર પલટી મારી ગઇ હતી. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું જ્યારે અન્ય એક વ્યક્તિને ઘાયલ થયો છે. આ સાથે કારની ટક્કરે નીલગાયનું પણ મોત થયું છે.
મોડાસા હાઇવે પર નવસારીના જૈન પરિવારનો અકસ્માત, એકનું મોત

સમીર બલોચ, અલવલ્લી: મોડાસા પાસે હાઇવે પર નીલ ગાય સામે આવી જતા કાર પલટી મારી ગઇ હતી. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું જ્યારે અન્ય એક વ્યક્તિને ઘાયલ થયો છે. આ સાથે કારની ટક્કરે નીલગાયનું પણ મોત થયું છે.

મોડાસાના સાકરીયા પાસે આવેલા હાઇપ પર નવસારીના જૈન પરિવારને અકસ્માત નડ્યો છે. નવસારીથી નીકળેલા જૈન પરિવાર મોડાસા પાસે હાઇવેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે કાસ સામે નીલ ગાય આવી જતા કાર પલટી મારી ગઇ હતી. જેમાં કારમાં સવાર બે વ્યક્તિઓમાંથી એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ અકસ્માતમાં નીલ ગયાનું પણ મોત થયું છે.

આ ઘટનાની જાણ કરતા પોસીલ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે અકસ્માતમાં મોત થનાર વ્યક્તિની લાશને પીએમ અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી છે. જો કે, 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પ્રામાણિકતા દેખાડતા મૃતકના ખિસ્સામાંથી મળી આવેલી રોકડ-દાગીના પોલીસને સોંપ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news