Special train: ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે 9 ઓગસ્ટથી શરૂ થશે બે ટ્રેન, યાત્રીકોને થશે ફાયદો

ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે 9 ઓગસ્ટથી શરૂ થશે બે ટ્રેન, યાત્રીકોને થશે ફાયદો

Special train: ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે 9 ઓગસ્ટથી શરૂ થશે બે ટ્રેન, યાત્રીકોને થશે ફાયદો

નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર અને સુરેન્દ્રનગરના લોકો માટે સારા સમાચાર છે. ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે 9 ઓગસ્ટથી બે વિશેષ ટ્રેન દોડવાની છે. આ ટ્રેન શરૂ થતાં અનેક લોકોને ખુબ ફાયદો થવાનનો છે. પશ્ચિમ રેલવેએ ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે આ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 

બે નવી ટ્રેન થશે શરૂ
ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે આ બે વિશેષ ટ્રેન 8 ઓગસ્ટથી શરૂ થવાની છે. યાત્રીકોની માંગને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવેએ ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે આ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09534 ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક લોકલ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી 14:00 કલાકે ઉપડશે અને 18:05 કલાકે સુરેન્દ્રનગર પહોંચશે.

ટ્રેન નંબર 09527 સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક લોકલ સ્પેશિયલ સુરેન્દ્રનગરથી 18:30 કલાકે ઉપડશે અને 23:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ટ્રેન નં. 09510 ભાવનગર-પાલિતાણા દૈનિક સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દરરોજ 06.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 07.45 કલાકે પાલિતાણા પહોંચશે. ટ્રેન નં. 09509 પાલિતાણા-ભાવનગર દૈનિક સ્પેશિયલ પાલિતાણાથી દરરોજ 08.20 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 09.55 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. 
ઉપરોક્ત બંને ટ્રેનો 9 ઓગસ્ટ 2021થી આગળની સૂચના ના મળે ત્યાં સુધી ચાલુ રહેશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news