દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસનું અત્યંત શરમજનક પ્રદર્શન, હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ ઉઠાવ્યાં સવાલ     

દિલ્હીમાં સતત 15 વર્ષ સુધી સત્તા પર બિરાજમાન રહેલી કોંગ્રેસને 2015ની જેમ આ વખતે પણ એકેય સીટ મળી નહીં. જેને લઈને હવે પાર્ટીમાં હાહાકાર મચી રહ્યો છે. હારને લઈને પાર્ટીના નેતા એકબીજા પર ઠીકરા ફોડી રહ્યાં છે તો ક્યારેક રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. ગુરુવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીની હારને પાર્ટી માટે નિરાશાજનક ગણાવી છે. 

દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસનું અત્યંત શરમજનક પ્રદર્શન, હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ ઉઠાવ્યાં સવાલ     

નવી દિલ્હી: દિલ્હીમાં સતત 15 વર્ષ સુધી સત્તા પર બિરાજમાન રહેલી કોંગ્રેસને 2015ની જેમ આ વખતે પણ એકેય સીટ મળી નહીં. જેને લઈને હવે પાર્ટીમાં હાહાકાર મચી રહ્યો છે. હારને લઈને પાર્ટીના નેતા એકબીજા પર ઠીકરા ફોડી રહ્યાં છે તો ક્યારેક રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. ગુરુવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીની હારને પાર્ટી માટે નિરાશાજનક ગણાવી છે. 

મધ્ય પ્રદેશના પૃથ્વીપુર પહોંચેલા સિંધિયાએ કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર કહ્યું કે આ અમારી પાર્ટી માટે ખુબ નિરાશાજનક છે. એક નવી વિચારધારા અને એક નવી કાર્યપ્રણાલીની તત્કાળ જરૂરિયાત છે. દેશ બદલાયો છે. આથી અમારે દેશના લોકો સાથે નવા પ્રકારે વિચારવાનો અને જોડાવવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. 

અત્રે જણાવવાનું કે વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ દિલ્હી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સુભાષ ચોપડાએ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાએ આ હારની જવાબદારી લીધી હતી. 

— ANI (@ANI) February 13, 2020

પીસી ચાકોનું રાજીનામું
દિલ્હી કોંગ્રેસના પ્રભારી રહેલા પીસી ચાકોએ તો દિલ્હીમાં કોંગ્રેસની હાર માટે પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતને જવાબદાર ઠેરવી દીધા. વિવાદ વધતો જોઈને ચાકોએ પાર્ટીના  ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા દિલ્હીના પ્રદેશ પ્રભારી પદેથી રાજીનામું આપી દીધુ. તેમનું રાજીનામું પાર્ટીએ સ્વીકારી પણ લીધુ છે. 

શીલા દિક્ષીત પર આરોપ
ચાકોએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનું પતન 2013માં શરૂ થયું હતું. તે સમયે શીલા દિક્ષીતજી મુખ્યમંત્રી હતાં. નવી પાર્ટી AAPએ કોંગ્રેસનો સમૂળગો વોટ બેંક પડાવી લીધો. અમે તે ક્યારેય પાછો મેળવી શક્યા નહીં. તે આજે પણ આમ આદમી પાર્ટી પાસે છે. 

દેવડાએ ચાકોને ઠપકાર્યા
15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા દિવંગત નેતા શીલા દિક્ષીત પર આરોપ લગાવ્યાં બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ ચાકો પર આકરા પ્રહારો કર્યાં. કોંગ્રેસ નેતા મિલિન્દ દેવડા સહિત નેતાઓએ ચાકોના નિવેદનને આપત્તિ જનક ગણાવ્યું.

જુઓ LIVE TV

શર્મિષ્ઠા મુખરજીનો સવાલ
આ અગાઉ શરમજનક હારથી નિરાશ દિલ્હી કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખરજીએ પૂછ્યું હતું કે શું કોંગ્રેસે ભાજપને હરાવવા માટેનો ઠેકો બીજી પાર્ટીઓને આપ્યો છે. કોંગ્રેસમાં ચાલી રહેલા આ સંગ્રામ વચ્ચે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ચૂંટણીમાં પાર્ટીની દુર્ગતિ એટલા માટે થઈ કારણ કે તે પોતાની વાતો લોકો સુધી યોગ્ય રીતે પહોંચાડી શકી નહીં. 

અત્રે જણાવવાનું કે આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બમ્પર જીત મેળવી. પાર્ટીએ 70માંથી 62 બેઠકો મેળવી. ગત વખતે પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી હતી. ભાજપના ગત વખતે 3 ધારાસભ્યો ચૂંટાયા હતાં અને આ વખતે ભાજપને ફાળે 8 બેઠકો ગઈ છે. કોંગ્રેસને ગત વખતે પણ 0 સીટ મળી હતી અને આ વખતે પણ ફાળે શૂન્ય જ આવ્યું. આ સાથે વોટશેર પણ ખુબ ઘટ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news