દિલ્હી: હિંસામાં સામેલ ઉપદ્રવીઓને છોડશે નહીં સરકાર, કડક કાર્યવાહીના આદેશ: સૂત્ર

નાગરિકતા સંશોધન કાયદા ( Citizenship Amendment Act) ને લઈને દિલ્હી (Delhi) માં રવિવારે હિંસક પ્રદર્શન કરનારા ઉપદ્રવીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકારે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ બાજુ જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓના પક્ષમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થીઓ પણ દિલ્હી પોલીસ મુખ્યમથકની બહાર ધરણા પ્રદર્શન માટે પહોંચી ગયા છે. 

દિલ્હી: હિંસામાં સામેલ ઉપદ્રવીઓને છોડશે નહીં સરકાર, કડક કાર્યવાહીના આદેશ: સૂત્ર

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા ( Citizenship Amendment Act) ને લઈને દિલ્હી (Delhi) માં રવિવારે હિંસક પ્રદર્શન કરનારા ઉપદ્રવીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકારે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ બાજુ જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓના પક્ષમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થીઓ પણ દિલ્હી પોલીસ મુખ્યમથકની બહાર ધરણા પ્રદર્શન માટે પહોંચી ગયા છે. 

પોલીસફોર્સે જામિયાનગરમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનકારીઓને શાંત  કરવાની કોશિશ કરી. હિંસા બાદ પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરી. પાંચ કલાકના ગતિરોધ બાદ પોલીસે પ્રદર્શનકારીઓને કહ્યું કે તમને કોઈ કશું કહેશે નહીં. તમે તમારા ઘરોમાં જાઓ, અમે તમારી સાથે વાતચીત કરીશું. 

કેમ્પસમાં પોલીસ ઘૂસીના આરોપ
જામિયા મિલ્લિયા યુનિવર્સિટીના ચીફ પ્રોક્ટર વસીમ અહેમદ ખાને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ખાને કહ્યું કે પોલીસ જબરદસ્તીથી કેમ્પસમાં ઘૂસી ગઈ અને તેમની પાસેથી મંજૂરી લેવાઈ નહતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસે યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને માર્યા તથા તેમને કેમ્પસમાંથી બહાર કાઢી મૂક્યાં. 

પોલીસે આરોપો ફગાવ્યાં
 જો કે દિલ્હીમાં સાઉથ ઈસ્ટના ડીસીપી ચિન્મય વિસ્વાલે થોડીવાર પહેલા જ ઝી ન્યૂઝને કહ્યું હતું કે પોલીસે જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે કોઈ ગેરવર્તણૂંક કરી નથી. પ્રદર્શનકારીઓ યુનિવર્સિટીમાં ઘૂસી ગયા હતાં, તેમને કાઢવા માટે પોલીસ યુનિવર્સિટીમાં ગઈ હતી.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બંધ
વિદ્યાર્થીઓના હિંસક પ્રદર્શન બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને પણ બંધ કરી દેવાઈ છે. તમામ પરીક્ષાઓ રદ કરી નખાઈ છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અબ્દુલ હામિદે જાણકારી આપતા કહ્યું કે હાલની સ્થિતિને જોતા અમે શિયાળુ સત્રની રજાઓ જાહેર કરી દીધી છે. યુનિવર્સિટી 5 જાન્યુઆરીથી ફરીથી ખુલશે. પરીક્ષાઓ ત્યારબાદ યોજાશે. યુનિવર્સિટીમાં તણાવ અંગે તેમણે કહ્યું કે કેમ્પસમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. કેટલાક વિદ્યાર્થીઓ અને અસામાજિક તત્વો આવ્યાં, પથ્થરમારો કર્યો.આથી અમે પોલીસને સ્થિતિને નિયંત્રણમાં લેવાનું કહ્યું છે. 

કોઈ ફાયરિંગ થયું નથી-દિલ્હી પોલીસ
દિલ્હી સાઉથ ઈસ્ટના ડીસીપી ચિન્મય વિસ્વલનું કહેવું છે કે દિલ્હી  પોલીસે કોઈ ફાયરિંગ કર્યું નથી. પોલીસ જામીયા યુનિવર્સિટીની અંદર પણ ગઈ નથી. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ અગાઉ દિલ્હીમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન થયા. દિલ્હીના જામિયા નગર, ન્યૂ ફ્રન્ડ્ઝ કોલોની, મથુરા રોડ, ભરત નગરમાં આગચંપી થઈ. વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ 3 બસો બાળી મૂકી. શાહીનબાગમાં પણ કાયદા વિરુદ્ધ હિંસા થઈ. ટીયર ગેસના સેલ છોડાયા. હિંસક પ્રદર્શનમાં 28 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 

જુઓ LIVE TV

અફવાઓ પર ધ્યાન ન આપવું
દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી એમએસ રંધાવાએ કહ્યું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. હું દિલ્હીના લોકોને કહેવા માંગુ છું કે અફવાઓ પર  ધ્યાન ન આપો. દિલ્હી પોલીસ સ્થિતિ પર નજર રાખી રહી છે. અમે જલદી અસામાજિક તત્વોની ઓળખ કરીશું અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું. પોલીસકર્મીઓની અપીલ બાદ વિદ્યાર્થીઓને ભીડમાંથી નીકળીને યુનિવર્સિટી તરફ જતા જોવા મળ્યા હતાં.

અત્રે જણાવવાનું કે રવિવારે મોડી સાંજે CAAના વિરોધમાં જામિયા નગર વિસ્તારમાં વ્યાપક હિંસા થઈ અને બસો બાળી મૂકી. આ ઉપરાંત કેટલાક સ્કૂટરો અને કારોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. પથ્થમારામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હોવાના અહેવાલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news