ત્રણ સપ્તાહના લૉકડાઉન પર બોલ્યા પીએમ, 21 દિવસ સાવચેતી ન રાખી તો 21 વર્ષ પાછળ જતો રહેશે દેશ


પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાથી બચવાની એકમાત્ર રીત પોતાના ઘરમાં રહેવાની છે. આ સિવાય કોરોનાની કોઈ દવા નથી. જો કોરોનાને રોકવો હોય તો આપણે ઘરમાં રહીને તેની સાયકલને રોકવી પડશે. 

 ત્રણ સપ્તાહના લૉકડાઉન પર બોલ્યા પીએમ, 21 દિવસ સાવચેતી ન રાખી તો 21 વર્ષ પાછળ જતો રહેશે દેશ

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે. આજે રાત્રે 12 કલાકથી પીએમ મોદીએ 21 દિવસ માટે લૉકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, આ જનતા કર્ફ્યૂથી એક પગલું આગળનો નિર્ણય છે. 

કોરોના વાયરસને કારણે દેશમાં હાહાકાર મચેલો છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીએ દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, 21 દિવસ ન સમજ્યા તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે રાત્રે 12 કલાકથી દેશમાં લૉકડાઉન થવા જઈ રહ્યું છે. પીએમે કહ્યું કે, આ લૉકડાઉન તમને બચાવવા, તમારા પરિવારને બચાવવા માટે લાગૂ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઘરમાંથી નિકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. પીએમે કહ્યું કે, 21 દિવસ સંભાળ ન રાખી તો ઘણા પરિવાર તબાહ થઈ જશે. 

દેશવાસીઓને અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેમની દેશવાસીઓને પ્રાર્થના છે કે તમે આ સમયે દેશમાં જ્યાં પણ હોવ, ત્યાં રહો. અત્યારની સ્થિતિ જોતા દેશમાં આ લૉકડાઉન 21 દિવસનું હશે. તેમણે કહ્યું કે, આવનારા 21 દિવસ આપણા માટે ખુબ મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો કોરોના વાયરસના સંક્રમણની સાયકલ તોડવા માટે ઓછામાં ઓછો 21 દિવસનો સમય ખુબ મહત્વનો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news