એર સ્ટ્રાઇકની મજાક ઉડાવ્યા બાદ હવે કોંગ્રેસ 'મી ટૂ - મી ટૂ' કરી રહ્યું છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ગમે તે પ્રકારે સાબિત કરવા માંગી રહી છે કે અમે પણ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી

એર સ્ટ્રાઇકની મજાક ઉડાવ્યા બાદ હવે કોંગ્રેસ 'મી ટૂ - મી ટૂ' કરી રહ્યું છે

સીકર : સેના, શહીદી અને એરસ્ટ્રાઇક મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ શુક્રવારે કહ્યું કે, કોંગ્રેસ કોઇ પણ પ્રકારે સાબિત કરવાના પ્રયાસો કરી રહી છે કે તેની સરકારોએ પણ એસ્ટ્રાઇક કરી. કોંગ્રેસ હવે મીટૂ મીટૂ કરી રહી છે. રાજસ્થાનના શેખાવટી વિસ્તારમાં સીકર શહેરમાં ચૂંટણી સંભાને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, ચૂંટણી પહેલા ચાર તબક્કામાં ચારેય ખાને ચીત થયા બાદ હવે કોંગ્રેસ નવી પેંતરાબાજી કરી રહી છે. કાલે કોંગ્રેસનાં એક વરિષ્ઠ નેતાએ નિવેદન આપ્યું કે, અમારા સમયે પણ અનેક વખત સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી. હવો કોંગ્રેસ યેનકેન પ્રકારે સાબિત કરવા માંગે છે કે અમારા સમયમા પણ સર્જીકલ સ્ટ્રાઇક થઇ હતી. 

આ કેવી સ્ટ્રાઇક હતી ભાઇ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ કેવી સ્ટ્રાઇક હતી ભાઇ, જે અંગે આતંકવાદીની કોઇ માહિતી નથી, સ્ટ્રાઇક કરનારાઓને માહિતી નથી, પાકિસ્તાનને પણ કંઇ જ ખબર નથી અને દેશની જનતાને પણ આ અંગે કોઇ જ માહિતી નથી. પહેલા તેમણે એમ કહ્યું કે, આવું કંઇ થતું જ નથી, પહેલા મજાક ઉડાવ્યો પરંતુ જ્યારે જોયું કે જનતા મોદીની સાથે છે તો વિરોધ કરવાનો શરૂ કરી દીધો. હવે ત્રીજો રસ્તો અપનાવવા લાગ્યા કે અમે પણ સ્ટ્રાઇક કરી હતી. પહેલા ઉપેક્ષા, પછી વિરોદ અને હવે મે પણ કર્યું નાં નામે મી ટૂ... મી... ટૂ કરી રહ્યા છે. 

કાગળ પર સર્જીકલ સ્ટ્રાઇક માત્ર કોંગ્રેસ જ કરી શકે છે. 
કોંગ્રેસ માત્ર એસી રૂમમાં બેસીને કાગળ પર જ સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે છે. પહેલા કોંગ્રેસનાં એક નેતાએ કહ્યું કે, અમે ત્રણ વખત સર્જીકલ સ્ટ્રાઇક કરી. મને લાગે છે કે કોંગ્રેસમાં એવા લોકો પણ છે જે ઉંમરનાં આ પડાવે પણ વીડિયો ગેમ રમે છે અને કદાચ સર્જિકલ સ્ટ્રાઇકને પણ વીડિયોગેમ સમજીને તેઓ આનંદ લેતા હશે. 

વડાપ્રધાને કહ્યું કે, ચૂંટણીનાં ચાર તબક્કા ગયાં તેટલામાં જ કોંગ્રેસનાં નેતાઓએ સર્જીકલ સ્ટ્રાઇકની સંખ્યા 3માંથી વધારીને 6 કરી દીધી છે. કદાચ ચૂંટણી પુર્ણ થતા થતા સુધીમાં તેઓ એવા દાવા કરવા લાગશે કે અમે દરરોજ સર્જીકલ સ્ટ્રાઇક કરતા હતા. ખોટુ બોલવામાં ક્યાં ખર્ચ આવે છે. 23મેનાં રોજ જ્યારે પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ કહેશે અમે 6 નહી 600 વખત સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કર્ણાટકનાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સેનામાં તે જ લોકો જાય છે જેમની પાસે બે ટંક જમવાનું નથી હોતું. આ આપણા વીર પુત્રો અને તેમની માતાઓનું અપમાન છે કે નહી ? સીકરમાં મોદીનું ભાષણ એરસ્ટ્રાઇક, સેના, સૈનિક અને શોર્ય પર કેન્દ્રીત રહ્યુ અને તેમણે આ મુદ્દાઓ પર કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. 

વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસનાં મનમાં ક્યારે પણ દેશનું સંરક્ષણ કરનારાઓ માટે સન્માન નથી રહ્યું. એટલા માટે કોંગ્રેસે ક્યારે તેમનાં હિતો અંગે નથી વિચાર્યું. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો પંજો હંમેશા મલાઇના ચક્કરમાં રહે છે. જ્યાં મલાઇ નહી, ત્યાં કોંગ્રેસ ક્યારે પણ નથી ગઇ. આ પણ એક કારણ છે કે કોંગ્રેસમાં આવતાની સાથે જ મોંઘવારી આસમાનને સ્પર્શવા લાગે છે. એટલે કે કોંગ્રેસ આવશે મોંઘવારી લાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news