નિર્ભયા કેસ: દોષિત મુકેશની દયા અરજી ગૃહ મંત્રાલય પાસે પહોંચી

નિર્ભયા (Nirbhaya Case) ના એક દોષિત મુકેશ (Mukesh) ની દયા અરજી ગુરુવારે ગૃહ મંત્રાલય (MHA) પાસે પહોંચી છે. ગૃહ મંત્રાલય આ અરજી પર જલદી નિર્ણય લઈને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેશે.

નિર્ભયા કેસ: દોષિત મુકેશની દયા અરજી ગૃહ મંત્રાલય પાસે પહોંચી

નવી દિલ્હી: નિર્ભયા (Nirbhaya Case) ના એક દોષિત મુકેશ (Mukesh) ની દયા અરજી ગુરુવારે ગૃહ મંત્રાલય (MHA) પાસે પહોંચી છે. ગૃહ મંત્રાલય આ અરજી પર જલદી નિર્ણય લઈને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેશે. આ અગાઉ આજે નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં દોષિત મુકેશ તરફથી હાજર રહેલા વકીલે ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માગણી કરી હતી. વકીલે કહ્યું કે અમારી બે માગણી છે.  પહેલી ડેથ વોરન્ટ પર રોક લગાવવી જોઈએ. અને બીજી ડેથ વોરન્ટ રદ કરવામાં આવે. કારણ કે દોષિતોની દયા અરજી પર નિર્ણય આવતા પહેલા આ ડેથ વોરન્ટ બહાર પાડવામાં આવ્યું છે. 

મુકેશ તરફથી કહેવાયું કે ડેથ વોરન્ટ પર રોક લગાવવામાં આવે તે માટે થઈને અમે નીચલી અદાલતમાં આવ્યાં છીએ. મુકેશ તરફથી કહેવાયું કે ક્યુરેટિવ અરજી એટલા માટે દાખલ ન કરી શક્યા કારણ કે કેટલાક દસ્તાવેજો અમારી પાસે નહતાં. મુકેશ તરફથી વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે જ્યા સુધી રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી દોષિતને ફાંસી આપી શકાય નહીં. 

જજે કહ્યું કે જેલ પ્રશાસને જોવાનું છે કે જો દયા અરજી પર નિર્ણય નથી આવ્યો તો ફાંસીની સજા ન થાય. તેના પર મુકેશના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે આપણે એ વાત જેલ પ્રશાસન પર છોડી શકીએ નહીં કારણ કે આ કોઈની જિંદગીનો સવાલ છે. કોર્ટે આ મામલે ચોખ્ખે ચોખ્ખો નિર્દેશ આપવો જોઈએ. 

સરકારી વકીલે દલીલ આપી કે આ કોર્ટ પાસે ડેથ વોરન્ટ પર રોક લગાવવાનો અધિકાર નથી. તે જેલ સુપ્રિટેન્ડેન્ટનો અધિકાર છે. આ બાજુ નિર્ભયાના માતા પિતાના વકીલે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે ફાંસી 22 જાન્યુઆરીએ જ થવી જોઈએ. જજે કહ્યું કે જ્યારે જેલ સુપ્રિટેન્ડેન્ટે અમને લખ્યું કે દયા અરજી કરવામાં આવી છે તો તેનો શું અર્થ થયો? શું તેનો અર્થ એ નથી કે કાયદા મુજબ ફાંસીનો  સમય આપવો જોઈએ. 

જુઓ LIVE TV

કોર્ટે સંકેત આપ્યો કે 22 જાન્યુઆરીની ફાંસી ટળી શકે છે. જજે કહ્યું કે આ મામલે જેલ ઓર્થોરિટી જ્યારે રિપોર્ટ દાખલ કરશે ત્યાર બાદ ફરીથી નવું ડેથ વોરન્ટ જાહેર કરવાની માગણી કરીશું. જજે કહ્યું કે જો આજે કે કાલે દયા અરજી પર નિર્ણય આવી જાય તો પછી તેમને 14 દિવસનો સમય મળશે અને દોષિત ડેથ વોરન્ટની તારીખ બદલવાની માગણીને લઈને ફરીથી કોર્ટમાં જશે. 

આ બધા વચ્ચે કોર્ટે જેલ પ્રશાસન પાસે રિપોર્ટ માંગ્યો. જેલ પ્રશાસને જણાવવું પડશે કે દયા અરજી દાખલ થયા બાદ શું જેલ મેન્યુઅલ મુજબ ફાંસીની તારીખમાં બદલાવ થઈ રહ્યો છે. જેલ મેન્યુઅલ મુજબ મર્સી પિટીશન ફગાવવામાં આવે તો તે સંજોગોમાં 14 દિવસ બાદ જ ફાંસી થઈ શકે છે. આવતી કાલે 3.30 વાગે આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news